Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Health Care - ડાયાબિટીસના દર્દીઓને મેથી દાણા પહોંચાડે છે આ 3 ફાયદા

Health Care - ડાયાબિટીસના દર્દીઓને મેથી દાણા પહોંચાડે છે આ 3 ફાયદા
, શુક્રવાર, 26 મે 2017 (10:55 IST)
તમે  હમેશા સાંભળ્યું હશે કે ડાયાબિટીસના દર્દીઓને મેથી દાણા ખાવાની સલાહ અપાય છે. મેથી દાણા ડાયાબિટીસના દર્દીઓને ત્રણ રૂપમાં ફાયદા પહોંચાડે છે આવો જાણી એના વિશે. 
1. બ્લડ ગ્લૂકોઝ લેવલ ઘટાડે - 
ન્યૂટ્રીશન જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ મેથી દાણાનો હાઈપોગિલસેમિક પ્રભાવ ઘુલનશીલ ફાઈબરના કારણે છે. જે ડાઈજેશનને ધીમું કરવા ઉપરાંત ગેસ્ટ્રોંટેસ્ટિનલ ટ્રેક્ટથી ગ્લૂકોઝનું  અવશોષણ પણ ઓછું કરે છે. મેથી દાણામાં ટ્રાગોનેલાઈન નામના એક તત્વ પણ હોય છે.  જે ઈંસુલિન સેંસીટીવિટી વધારે છે અને બ્લ્ડ ગ્લૂકોઝ લેવલ ઓછું કરે છે. 

2. એંટઈઓક્સીડેંટ એક્શન  વધારે 
webdunia
webdunia
મેથી દાણામાં પોલિફિનોલ અને ફ્લેનોનાઈડ પણ હોય છે જે એંટીઓકસીડેંટ એકશન ઝ્ડપી કરે છે. જેના કારણે કોલેસ્ટટ્રોલ અને ટ્રાઈગ્લાઈસેરાઈડ લેવલ ઓછું હોય છે. મેથી દાણા આંતરડામાં એવો પ્રભાવ ઉત્પન્ન કરે છે જેનાથી લિપિડ અને ગ્લોકોઝનું  અવશોષણ ઓછું થઈ જાય છે. એમાં 48% ફાઈબર અને 26 % પ્રોટીન હોય છે આથી આ ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ છે. 

3. ડાયાબિટીસનું સંકટ  ટાળે 
webdunia
જો તમે બાર્ડર લાઈનમાં છો એટલે કે તમને પ્રીડાયાબિટીસ છે  અને જો તમે તમારી ડાયેટ પર ધ્યાન નહી આપો  તો 2-3 વર્ષમાં ડાયાબિટીસ થઈ શકે છે. પણ જો તમે દરરોજ 10 ગ્રામ મેથી ખાવ છો તો આ 2-3 વર્ષની અવધિને વધારી શકો છો. એના હાઈ અલ્કાલાઈડ તત્વ સીરમ ઈંસુલિન લેવલ વધારે છે. એના હાઈ અલ્કાલાઈડ તત્વ સીરમ ઈંસુલિન લેવલ વધારે છે.  અને એલડીએલ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. જેનાથી બ્લડ ગ્લૂકોઝ  લેવલ પર કંટ્રોલ કાયમ બનાવી રાખે  છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Akbar Birbal Story : બાદશાહનો પોપટ