Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેલ્થ કેર : સંતુલિત આહાર આરોગ્ય માટે જરૂરી

હેલ્થ કેર : સંતુલિત આહાર આરોગ્ય માટે જરૂરી
P.R
દિવસભરની ભાગદોડ બાદ અમારા શરીરની એનર્જી ખતમ થઈ જાય છે. અમે વારંવાર એવી ફરિયાદ કરીએ છીએ કે નવા કામને કરવાની હવે હિમંત રહી નથી. આવી ફરિયાદ વારંવાર કરતા લોકો જોવા મળે છે. આ વાસ્તવિક્તા છે કે આપણે સામાન્ય રીતે ઘણી લાપરવાહી રાખીએ છીએ. જમવા પર ધ્યાન કેન્દ્રીત કરીને આપણે ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકીએ છીએ.

ખાવા પીવાની ચીજ વસ્તુઓ સાથે જોડાયેલી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તે ખૂબ જરૂરી છે. આના કારણે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. આરોગ્ય નિષ્ણાંતોનું કહેવુ છે એ સંતુલિત ભોજન ખૂબ જ જરૂરી છે. આના કારણે રોગપ્રતિરોધક શક્તિમાં પણ વધારો થાય છે. આરોગ્ય નિષ્ણાંતોનું કહેવુ છે કે સંતુલિત ભોજન ખૂબ જ જરૂરી છે. શરીરના પોષણ મુજબ ધ્યાન આપવામાં આવે તે મહત્વપૂર્ણ છે. કેટલીક એનર્જીની જરૂર છે તે પણ મહત્વપૂર્ણ છે. બિન જરૂરી ડાયેટિંગ કરવાથી નુકશાન થાય છે. લાંબા સમય સુધી ખાવાની કોઈ વસ્તુથી દૂર રહેવુ એ પણ યોગ્ય નથી. આનાથી આપણા શરીરમાં એ ચીજવસ્તુઓથી મળનાર પોષક તત્વોની કમી થઈ જાય છે. જેથી સંતુલિત ભોજન ખૂબ જ જરૂરી છે. જરૂર કરતા વધુ પ્રમાનમાં ખાવાથી શરીરને નુકશાન થાય છે. વધુ પ્રમાનમાં ભોજન કરવાથી બચી ગયેલી ચીજવસ્તુ શરીરમાં ફેટના રૂપમાં જમા થાય છે. વધુ પ્રમાણમાં કાર્બો હાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ ખાવાની સ્થિતિ પણ યોગ્ય નથી. ફલ અને શાકભાજી કાર્બોહાઈડ્રેટથી ભરપૂર ચીજવસ્તુ છે. આમા પોષક તત્વોનું પ્રમાણ ખૂબ વધારે રહે છે. આમા ફાઈબરની સાથે સાથે મિનરલ અને વિટામીન પણ ખૂબ વધુ પ્રમાણમાં હોય છે.

ભોજનમાં જુદા જુદા રંગના ફળ અને શાકભાજીને આવરી લેવામાં આવે તેવી સલાહ આપવામાં આવી છે. ફાઈબર ખૂબ જ મહત્વપૂર્ણ છે જે હાર્ટ એટેક સાથે સંબંધિત અન્ય બીમારીઓથી બચાવે છે. ફાઈબર પાચનતંત્રની સ્થિતિને પણ સુધારવામાં ભૂમિકા ભજવે છે. પ્રોટીન પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગ્ય રીતે કસરત કરવા અને યોગ્ય માત્રામાં પોષક તત્વો ભોજનમાં લેવાથી સ્નાયુ મજબૂત કરે છે. એક યુવા વ્યક્તિને એક કિલો વજન પર 0.8 થી 1 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. ખેલાડીઓન વધુ માત્રામાં પ્રોટીનની જરૂર હોય છે.

Share this Story:

Follow Webdunia gujarati