Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જો તમે પણ ગુજરાતથી મધ્ય પ્રદેશ આ ટ્રેન વડે કરી રહ્યા છો મુસાફરી તો જાણી લો આ જરૂરી સૂચના

જો તમે પણ ગુજરાતથી મધ્ય પ્રદેશ આ ટ્રેન વડે કરી રહ્યા છો મુસાફરી તો જાણી લો આ જરૂરી સૂચના
, બુધવાર, 29 ડિસેમ્બર 2021 (10:44 IST)
મધ્યપ્રદેશના રીવાથી ગુજરાતના રાજકોટ વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે જરૂરી સૂચના છે. જોકે, રાજકોટથી રીવા વચ્ચે ચાલતી સાપ્તાહિક ટ્રેનને આવવા-જવાના બે રાઉન્ડ માટે રદ કરવામાં આવી છે. રાજકોટ-રેવા-રાજકોટ એક્સપ્રેસ ટ્રેન રાજકોટ ડિવિઝનના વાગડિયા યાર્ડ ખાતે ટ્રેક લિંકિંગના કામને કારણે રીવાથી ઉપડતી/ટર્મિનેટ કરતી ટ્રેન રદ કરવામાં આવી છે.
 
રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શન માં ડબલ ટ્રેકની કામગીરીને કારણે 11જાન્યુઆરી,2022 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. વિભાગીય રેલવે પ્રવક્તા અમદાવાદના જણાવ્યા અનુસાર ઉપરોક્ત સેક્શન માં સ્થિત વગડિયા યાર્ડમાં લાઇન ક્ષમતા વધારવા માટે રિમોડેલિંગની કામગીરી હાથ ધરવામાં આવશે જે નીચે મુજબ રેલ ટ્રાફિકને અસર કરશે:
 
રેલવે તંત્ર દ્રારા પશ્વિમ રેલવે રાજકોટ ડિવિઝનના સુરેન્દ્ર નગર-રાજકોટ રેલવે સેકશન પર આવેલ વાગડીયા સ્ટેશનના યાર્ડમાં રેલ્વે પ્રશાસન દ્વારા ટ્રેકને લીંકીંગ, ઈન્સર્ટીંગ અને ડીસમલ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. ભારતીય રેલવેએ કાર્યકાળ દરમિયાન આ રૂટ પરથી પસાર થતી ઘણી ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં ટ્રેન નંબર 22937/22938 રાજકોટ-રીવા-રાજકોટ સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન જબલપુર હેડક્વાર્ટર વેસ્ટ સેન્ટ્રલ રેલ્વેના રીવા સ્ટેશનથી તેના મૂળ સ્ટેશનથી ઉપડતી/ટર્મિનેટ કરતી ટ્રેનને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 
ટ્રેન નંબર 22937 રાજકોટથી રીવા એક્સપ્રેસ ટ્રેન તેના મૂળ સ્ટેશન રાજકોટથી 02.01.2022 અને 09.01.2022ના રોજ અને રીટર્ન ટ્રેન નંબર 22938 રીવાથી રાજકોટ એક્સપ્રેસ ટ્રેન તા. 03.01.2022 અને 10.01.2022ના રોજ તેના સ્ટેશનેથી ઉપડતી અથવા ચાલુ રહેશે. રેલવે પ્રશાસને મુસાફરોને અસુવિધા ટાળવા માટે રેલવે દ્વારા અધિકૃત રેલવે પૂછપરછમાંથી માહિતી મેળવ્યા પછી જ મુસાફરી શરૂ કરવા વિનંતી કરી છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરી દરમિયાન કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

DL રજીસ્ટર્ડ એડ્રેસ પર પહોંચે તે સમયગાળા દરમિયાન તેની PDF કોપી પણ માન્ય દસ્તાવેજ ગણાશે