Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

SBIના સ્મૉલ એકાઉંટમાં આટલુ મળે છે વ્યાજ, જાણો બધા ફાયદા

SBIના સ્મૉલ એકાઉંટમાં આટલુ મળે છે વ્યાજ, જાણો બધા ફાયદા
નવી દિલ્હી , બુધવાર, 5 જૂન 2019 (11:04 IST)
દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક  (SBI) વિવિધ પ્રકારની બૈકિંગ સુવિદ્યાઓની રજુઆત કરે છે.  આજે અમે એસબીઆઈની તરફથી રજુ પેશ સ્મોલ એકાઉંટના વિશે બતાવી રહ્યા છીએ. આ સ્મોલ એકાઉંટને 18 વર્ષથી વધુ વયના કોઈપણ વ્યક્તિ ખોલાવી શકે છે.  જે માટે કેવાઈસી પ્રક્રિયાની જરૂર નથી. આ એકાઉંટમાં કેવાયસી પ્રક્રિયા પુરે થયા બાદ તેને સામાન્ય સેવિંગ એકાઉંટમાં બદલી શકાય છે.  આવો જાણીએ એસબીઆઈના સ્મોલ એકાઉંટ વિશે બધી જરૂરી માહિતી. 
 
વ્યાજ દર - એસબીઆઈ સ્મૉલ એકાઉંટમાં વ્યાજ દર સમાન્ય સેવિંગ એકાઉંટ જેટલુ જ મળે છે. બેંક 3.5 ટકા પ્રતિ વર્ષના દરથી વ્યાજ મળે છે. 
 
બેનિફિટ્સ - ગ્રાહકોને આ એકાઉંટ સાથે રૂપે એટીએમ-કમ ડેબિટ કાર્ડ એકાઉંટ ખોલાવતી વખતે મફતમાં મળે છે. 
 
વિદ્રડ્રોલ એંડ ટ્રાંસફર લિમિટ 
 
આ એકાઉંટ દ્વારા દર મહિને વધુમાં વધુ 10 હજાર રૂપિયા કાઢી અને જમા કરી શકાય છે. એસબીઆઈ બેંકની વેબસાઈટ મુજબ, દર વર્ષે આ સીમા 1 લાખ રૂપિયા સુધીની છે.  આ એકાઉંટ દ્વારા એકાઉંટ હોલ્ડર એક મહિનામાં વધુમાં વધુ 4 વાર પૈસા કાઢી શકે છે.  જેમા એસબીઆઈના એટીએમ અને અન્ય બેંકના એટીએમનો સમાવેશ છે. 
 
સર્વિસ ચાર્જ 
 
એસબીઆઈ સ્મોલ એકાઉંટમાં કોઈ પણ પ્રકારનુ વાર્ષિ મેંટેનેસ ચાર્જ આપવાનુ નથી. એનઈએફટી/ આરટીજીએસ જેવા ઈલેક્ટ્રોનિક ચુકવણી ચેનલો દ્વારા પૈસાની ક્રેડિટ મફત છે. કેન્દ્ર/રાજ્ય સરકારની તરફથી કરવામાં આવેલ ચેકના જમા/કલેક્શન પણ ફ્રી છે. જો એસબીઆઈના સ્મૉલ એકાઉંટને  બંધ કરવામાં આવે છે તો એકાઉંટ બંધ કરવાની કોઈ ફી નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બુધવારે લાલ નિશાન સાથે ખુલ્યુ શેયર બજાર, 184 અંકોના ઘટાડા સાથે સેંસેક્સ