Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

ગુજરાતની કેસર કેરીને વાવાઝોડાનો માર, અડધો પાક નષ્ટ, ભાવ વધ્યા

Gujarat's saffron mangoes hit by hurricane
, ગુરુવાર, 31 માર્ચ 2022 (17:52 IST)
ગુજરાતની કેસર કેરીને વાવાઝોડાનો માર, કેરીના શોખીનોએ ચૂકવવી પડશે વધુ કિંમત
 
બજારમાં કેરીના પાકના આગમનની દરેક વ્યક્તિ રાહ જુએ છે. કેરી પ્રેમીઓ માટે એક સારા સમાચાર છે કે ગુજરાતના બજારમાં હવે કેરીઓ ઉપલબ્ધ થશે, પરંતુ સાથે જ ચિંતાજનક સમાચાર એ છે કે આ વખતે વધતા ભાવ સાથે કેરી આવી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રની જાણીતી કેસર કેરી હવે જૂનાગઢના બજારમાં આવી રહી છે. કેરીનો પ્રથમ પાક હવે બજારમાં આવી ગયો છે, પરંતુ ગત વર્ષની સરખામણીમાં આ વખતે મોંઘવારીની અસર કેરીના ભાવમાં જોવા મળી રહી છે.
 
ગત વર્ષે જ્યાં કેરીનો ભાવ બજારમાં રૂ.700 થી 1200 હતો. સાથે જ શરૂઆતમાં કેરીના ભાવમાં 1000 થી 1500 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જોકે ખેડૂતોના જણાવ્યા મુજબ, ગયા વર્ષે તૌકતે ચક્રવાતને કારણે ઘણા કેરીના બગીચા સંપૂર્ણપણે નાશ પામ્યા હતા અને કેરીના બગીચા તૈયાર થતાં ઓછામાં ઓછા ચારથી પાંચ વર્ષનો સમય લાગે છે. આ વાવાઝોડાને કારણે ખેડૂતોને લગભગ 2 હજાર કરોડનું નુકસાન થયું છે. એટલા માટે જો તમે ગુજરાતની કેસર કેરીના શોખીન છો તો હવે તમારે પહેલા કરતા વધુ રકમ ચૂકવવી પડશે.
 
ગુજરાતમાં આ વર્ષે અંદાજે 1 લાખ 66358 હેક્ટરમાં કેસર કેરીનું વાવેતર થયું હતું, જેમાંથી 10 થી 12 લાખ મેટ્રિક ટન કેસરનું ઉત્પાદન થવાની ધારણા હતી, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે વાવાઝોડાથી બધુ તહસ નહસ કરી દીધું છે, અનેક આંબાના વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. તૂટેલા આંબાના લીધે કેરીનો લગભગ અડધો પાક બરબાદ થઈ ગયો છે. 
 
બીજી તરફ તાલાલાની કેરીને હજુ થોડો સમય લાગશે. તાલાલા કેસર કેરીની જગ્યા મોટી છે જેના કારણે તે કેસર કેરીમાં પણ જાણીતી છે. સાથે જ નવસારી કેસર કેરી અને વલસાડી હાફુસ પણ ધીમી ગતિએ આવવા લાગી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનની 5 જોડી ટ્રેનોમાં જોડવામાં આવશે વધારાના કોચ