Publish Date: Sat, 13 Jun 2009 (10:05 IST)
Updated Date: Sat, 13 Jun 2009 (10:04 IST)
ઘણા દેશોમાં સુવા અથાણા તરીકે વપરાય છે. તે સિવાય લીલા સુવાની ભાજી શાક બનાવવામાં પણ વપરાય છે. ઘણા લોકો માંસ બનાવવામાં પણ તેનો ઉપયોગ કરે છે.
સુવા ઉત્તમ પાચક તરીકે પણ જાણીતું છે. મોંઢામાં શ્વાસની દુર્ગંધ આવતી હોય તો એક ચમચી સવાના દાણા ચાવીને ખાવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે અને સવાના દાણાને પીસીને બનાવેલા પાવડરને પાણીમાં ઓગાળીને પીવાથી અથવા ફાકો મારી જવાથી કબજીયાત મટે છે. પાચનશક્તિ વધે છે. સવા સ્નાયુને પણ મજબૂત બનાવે છે.