લીમડાના પાંદડા પાણીમાં ઉકાળી આ પાણીથી ચેહરો ધોવાથી ખીલ દૂર થાય છે
લીમડાના પાંદડા વાટી આ પેક ફેસ પર લગાવવાથી ફોલ્લા અને ખીલના ડાઘ મટી જાય છે.
લીમડો વાટી એમાં મુલ્તાની માટી મિક્સ કરી ગુલાબજળ નાખી ચેહરા પર લગાવો આથી ચેહરાના ડાઘ દૂર થાય છે. અને લીમડો લોહી પણ સાફ કરે છે.
ખરજવું, ખસ, ખૂજલી,બ્લડ પ્રેશરમાં સવારે 25 ગ્રામ લીમડાનો રસ પીવો લાભદાયક છે.
લીમડામાં ઘઉંનો લોટ ચંદન પાવડર બે ચમચી મધ અને ગુલાબજળ મિક્સ કરી આ ઉબટન ચેહરા પર લગાવો .આ એક સરળ સૌન્દર્ય વર્ધક લેપ છે.
સવારે ખાલી પેટ લીમડાના 10-12 પાંદડા ખાવાથી અળઈઓ થતી નથી.
લીમડાને પાણીમાં ઉકાળી તેનાથી માથુ ધોવાથી વાળ ખરતાં બંદ થાય છે.