Publish Date: Mon, 01 Jun 2015 (16:36 IST)
Updated Date: Mon, 01 Jun 2015 (17:37 IST)
ઘરમાં બાળકોની ગુંજનથી ચમક આવી જાય છે. પણ આજના મા તા-પિતા 1- બે બાળકોથી વધારે બાળક ઈચ્છતા નથી. આથી અવાંછિત ગર્ભથી મુક્તિ માટે મહિલાઓ જુદા-જુદા તરીક અજમાવે છે. અને આજકાલ ગર્ભપાત કરાવવું સરળ થઈ ગયું છે. એના માટે હોસ્પીટલમાં દાખલ થવાની પણ જરૂરત નથી પડતી
5 થી 9 અઠવાડિયાના ગર્ભના એબોર્શન માટે ડાક્ટરની દેખરેખમાં માત્ર દવાઓની મદદથી જ કરી શકાય છે. એના માટે કોઈ ઓપરેશનની જરૂર પણ પડતી નથી. દાક્તરની સલાહથી માત્ર દવાઓથી આ થઈ શકે છે. આ ગર્ભપાત ઘરે જ થઈ શકે છે અને અ 98 ટકા સફળ પણ જાય છે. એના માટે તમે ડાકટર પાસે માત્ર બે વાર જવું પડશે. પહેલીવારમાં એ તમારી સ્થિતિ જોઈને જણાવશે કે મેડિકલ ગર્ભપાત થઈ શકે કે નહી. એમાં તમને એક કોર્સ આપે છે અને એક ઈંજેક્સનથી આ ગર્ભપાત થઈ શકે છે. એમાં 2 પ્રકાર ની દવા આપે છે એક દવા પ્રોજેસ્ટોરેન પ્રતિરોધી અને જે પ્રોજેસ્ટોરેન્ને રોકે છે. દવા લીધા પછી એક વાર ચેક કરાવી લો કે તમાર ગર્ભમાં કોઈ અંશ કે ટુકડા ગર્ભાશયમાં તો નહી રહી ગયા.જો આવું છે તો DNC થી એ કાઢી શકાય છે.
જો કોઈ કારણથી ગર્ભ 9 અઠવાડિયાથી વધારે સમયનો થઈ ગયો છે તો એના માટે સર્જિકલ ગર્ભપાત સુરક્ષિત રહેશે. પહેલા 12 અઠવાડિયામાં સક્ષમ વિધિ ડાયલેટેશન એંડ ઈવેક્યૂશન (ડી એંડ ઈ) થી ગર્ભપાત સુરક્ષિત રૂપથી કરી શકાય છે. આ એક નાનું ઓપરેશન થાય છે. જેમાં ગર્ભાશય ગ્રીવાને સુન્ન કરી. ગર્ભાપાત માટે ગર્ભાશય ગ્રીવાને ડાયલેટરથી પહોળો કરાય છે. સક્શન કેન્યુલા લગાવી ગર્ભાશયમાં પડતા ગર્ભને સર્કિંગ તકનીકથી બહાર કાઢે છે. જેમા આ ટિશૂ કાઢે છે ગર્ભાશય ફરીથી પોતાના આકારમાં આવી જાય છે. આ સમયે મહિલાઓને માસિકધર્મમાં થતા દુખાવા જેવા દુખાવા થાય છે. પ્રક્રિયામાં 5 થી 10 મિનિટનો સમય લાગે છે. મેડિકલ ગર્ભપાત પછી જે મહિલાઓને ગર્ભના અંશ ગર્ભાશયમાં રહી જાય છે એની ક્લીનિંગ પણ આવી જ રીતે થાય છે. થોડા કલાક સુધી દર્દીને હોસ્પીટલમાં રખાય છે પછી ઘરે મોકલી આપવામાં આવે છે.