Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

નોબેલ લોરેટ્સ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટેક્નોક્રેટ તેમજ સાયન્ટિસ્ટ જ્ઞાનનું આદાનપ્રદાન કરશે

નોબેલ લોરેટ્સ
, સોમવાર, 26 ડિસેમ્બર 2016 (12:49 IST)
સાયન્સ સિટી ખાતે તા. 9મી જાન્યુઆરી નોબેલ લોરેટ્સનું સન્માન કરાશે. સાથે નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 9મીએ સાંજે ઉદ્દઘાટન કરશે. ઉપરાંત નોબેલ લોરેટ્સ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટેક્નોક્રેટ તેમજ સાયન્ટિસ્ટ જ્ઞાનનું આદાનપ્રદાન કરશે. સાયન્સ સિટીના અંદરના એક માર્ગને નોબેલ લોરેટ્સનું નામ આપીને નોબેલ વિજેતાઓનું સન્માન કરાશે તેમ રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘે કહ્યું હતું.  નોબેલ લોરેટ્સને સાંભળવા માટે 500 જેટલા વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરાશે. જેમાં નવ નોબેલ લોરેટ્સ આવશે. નોબેલ એક્ઝિબિશન તા. 9મી જાન્યુઆરીથી તા. 12મી ફેબ્રુઆરી સુધી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે જોવા આપવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને અંતરિક્ષ, અવકાશ, વિજ્ઞાન, સમુદ્ર જેવી થીમ પર ફિલ્મો દર્શાવવામાં આવશે. પ્રસંગે તા. 10મીએ મહાત્મા મંદિરમાં નોબેલ લોરેટ ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાંકરીયા કાર્નિવલનો ઉત્‍સાહ પ્રેરક રંગારંગ પ્રારંભ (જુઓ ફોટા)