ચાંદીના ઘરેણાં- આની માંગ અમદાવાદ અને રાજકોટમાં વધારે પડતી હોવાથી ત્યાં સુંદર અને અવનવી ડિઝાઈનમાં ચાંદીના ઘરેણાં જોવા મળે છે. તોરણ- મુખ્ય દરવાજા પર લટકાવવાના તાં તોરણો, બે ત્રણ કિડિયાને એકસાથે એકસાથે પરોપી તેને ફીટ કરીને દોરાથી શણગારીને જુદી જુદી ડિઝાઈન બનાવાવામાં આવે છે. આને ખાસ કરીને મુખ્ય દરાવાજા પર લગાવવામાં આવે છે. આ કામમાં આદિવાસી લોકો નિપુણ છે. ગુજરાતનું મોતીકામ ખુબ જ વખણાય છે. કઠપુતળીઓ- સૌરાષ્ટ્રમાં જેમ ટેરકોટાના રમકડા વખણાય છે તેમ અમદાવાદમાં ભરતકામ કરેલ અને ઝરીવાળા વસ્ત્રો પહેરાવેલ કઠપુતળીઓની કારીગરી ખુબ જ વખણાય છે.
સજાવટની વસ્તુઓ- સજાવટની વસ્તુઓમાં ખાસ કરીને ઓશિકા અને ચાદર પર વિવિધ દોરાઓ, મોતી તેમજ કાચ વડે સુંદર કામ કરવામાં આવે છે. આ સિવાય ટેબલ ક્લોથ, સોફા કવર વગેરે બનાવવામાં આવે છે.
કચ્છમાં બનાતમાંથી પણ વિવિધ કલાત્મક વસ્તુઓ બનાવવામાં આવે છે. આ ઉપરાંત નમદાસ જડેલું અને ઘુરી ગુંથેલું કામ ખુબ જ વખણાય છે. કચ્છનો પરંપગત ગાલીચો જેને ઉંટ અને ઘેટાના વાળમાંથી બનાવવામાં આવે છે તે પણ ખુબ જ વખણાય છે.