Publish Date: Sat, 25 Apr 2015 (14:36 IST)
Updated Date: Sat, 25 Apr 2015 (14:42 IST)
પૃથ્વીમાં ચાર સ્તર હોય છે. ઈનર કોર, આઉટકોર, મેંટલ અને ક્રસ્ટ. તેમા અનેક પ્લેટ્સ હોય છે. જ્યા આ પ્લેટ્સ સ્લિપ થઈ જાય છે તે ફોલ્ત લાઈન કહેવાય છે. ઘરતીની અંદર તાપમાનના દબાણ અને હલચલોને કારણે આ ફૉલ્ટ લાઈન સક્રિય થઈ જાય છે. આ પોતાના સ્થાન પરથી આગળ કે પાછળ થવા લાગે છે તો ભૂકંપ આવે છે. સૌ પહેલા ધરતીના પ્રથમ સ્તરની નીચે ભૂકંપ આવે છે. આ સ્થાનને હાઈપોસેંટર કહે છે. તેના ઉપર જ્યાથી ભૂકંપ પોતાની અસર ફેલાવવી શરૂ કરે છે. તેને ઈપીસેંટર મતલબ ભૂકંપનુ કેન્દ્ર કહે છે. એવુ કહેવાય છે કે એપીસેંટરથી જે ઉર્જા નીકળે છે એ કોઈ પરમાણુ બોમ્બથી ઓછી નથી હોતી. આ ઘરતીના સ્તરને (જમીનને) ચીરીને ઉપરના સ્તર સુધી આવે છે.
દર સેકંડે ઓછામાં ઓછા ત્રણ ભૂકંપ આવે છે
પૃથ્વી પર દરેક સેકંડમાં ઓછામાં ઓછા ત્રણ ભૂકંપ આવે છે. પણ તેની તીવ્રતા ઓછી હોય છે. તેમાથી 98% ભૂકંપ સમુદ્રની અંદર આવે છે. આવા ભૂકંપોની સંખ્યા એક વર્ષ દરમિયાન 10 કરોડ હોઈ શકે છે.