Publish Date: Mon, 30 Sep 2019 (15:59 IST)
Updated Date: Mon, 30 Sep 2019 (17:17 IST)
1. મહાત્મા ગાંધીએ કહ્યુ હતુ કે રાજનીતિક સ્વતંત્રતાથી વધુ જરૂરી સ્વચ્છતા છે.
2. જો કોઈ વ્યક્તિ સ્વચ્છ નથી તો તે સ્વસ્થ નથી રહી શકતો.
3. સારી સાફ સફાઈથી જ ભારતના ગામને આદર્શ બનાવી શકાય છે.
4. શૌચાલયને આપણા ડ્રોઈંગ રૂમની જેમ સ્વચ્છ રાખવુ જરૂરી છે.
5. નદીઓને સ્વચ્છ રાખીને આપણે આપણી સભ્યતાને જીવંત રાખી શકીએ છીએ.
6. પોતાની અંદરની સ્વચ્છતા પ્રથમ વસ્તુ છે. જેને શિખવવી જોઈએ. બાકી વાતો ત્યારબાદ થવી જોઈએ.
7. દરેક વ્યક્તિએ પોતાનો કચરો પોતે જ ઉઠાવવો જોઈએ.
8. હુ કોઈને ગંદા પગ સાથે મારા મનમાંથી પસાર થવા દઉ નહી.
9. પોતાની ભૂલને સ્વીકારવી ઝાડુ લગાવવા સમાન છે જે જમીનને ચમકદાર અને સ્વચ્છ કરી દે છે.
10. સ્વચ્છતાને તમારા આચરણમાં એ રીતે અપનાવી લો કે તે તમારી આદત બની જાય.