બેડરૂમમાં ટીવી કે કોમ્પ્યુટર રાખવાથી દામ્પત્ય જીવનમાં પણ અરૂચિ ઉત્પન્ન થાય છે. જો આ વસ્તુઓને બેડરૂમમાં રાખવી જરૂરી હોય તો તેને જાડી ચાદર વડે ઢાંકી દેવા.
બેડરૂમમાં દર્પણ લગાવવું જો જરૂરી હોય તો તેને પુર્વાભિમુખ અને ઉત્તરાભિમુખ લગાવવું જોઈએ. આ ફેંગશુઈની શુભ તરંગોને પરાવર્તિત કરીને ઘરમાં સુખ શાંતિ જાળવી રાખે છે. રૂમમાં જો ગોળ દર્પણ લાગેલ હોય તો આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પલંગનું પ્રતિબિંબ તે દર્પણમાં ન દેખાઈ દે. જો આવું થઈ રહ્યું હોય તો તે દર્પણને સુતી વખતે રાત્રે કપડા વડે ઢાંકી દો.