Publish Date: Tue, 22 Oct 2024 (15:30 IST)
Updated Date: Tue, 22 Oct 2024 (14:57 IST)
Happy diwali : દિવાળી પર લક્ષ્મી પૂજન, ગણેશ પૂજન અને રંગોળી બનાવવા જેવી ઘણી માન્યતાઓ પ્રચલિત છે. તે જ રીતે કે પરંપરા છે દિવાળી પર માટીનુ ઘર બનાવવાની. શું તમે જાણો છો કે દિવાળી પર માટીનુ ઘર કેમ બનાવે છે?
Happy Diwali Celebration - દિવાળીનો તહેવાર ભારત દેશમાં ખૂબ ધૂમધામથી ઉજવાય છે. આ દરેક વર્ષ કાર્તિક મહીનાની અમાસ તિથિને ઉજવાય છે. લોક પરંપરાથી સંકળાયેલો આ તહેવારને લઈને દેશભરમાં જુદી-જુદી માન્યતાઓ પ્રચલિત છે. સમયની સાથે આ રિવાજ ઓછા જરૂર થઈ ગયા છે પણ ભારતના ગામોમાં આજે પણ તેને જીવંત રાખ્યુ છે. દિવાળીના દિવસે કેટલાક લોકો રંગોળી બનાવે છે તો ક્યાં દિવાઓથી ઘરને શણગારીએ છે. એક એવી જ અનોખી પરંપરા છે દિવાળી પર માટીના ઘર બનાવવાની. શહરોમાં આ પ્રચલન આશરે ખત્મ થઈ ગયુ છે પણ ગામમાં અત્યારે પણ તે જોવાઈ શકે છે.
કેમ બનાવીએ છે માટીના ઘર
માટીનુ ઘર કેમ બનાવે છે તેને સમજવાથી પહેલા આ જાણી લઈએ કે માટીનુ ઘર શું હોય છે? ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં આજે મોટાભાગના ઘરમાં આ પરંપરાનું પાલન કરાય છે. દિવાળીના દિવસે બધા લોકો ઘરમાં માટીથી એક નાનકડુ ઘર તૈયાર કરે છે. તેને બનાવવામાં ઘરની અપરિણીત છોકરીઓનુ ફાળો વધારે હોય છે. ઘર તૈયાર થયા પછી તેને રંગથી શણગારીએ છે. ઘણા લોકો તેને બનાવ્યા પછી તેમાં મિઠાઈ, ફૂલ અને બતાશા રાખે છે. તેને ઘરની સુખ-સમૃદ્દિથી સંકળાયેલો જોવાય છે.
શું છે પૌરાણિક માન્યતા
કેટલાક લોકોનુ માનવુ છે કે માટીના ઘર બનાવવાની પરંપરા ભગવાન રામ અને અયોધ્યાના લોકોથી સંકળાયેલી છે. જ્યારે ભગવાન રામ તેમના ચોદ વર્ષના વનવાસ પૂરા કર્યા અયોધ્યા પરત ફર્યા, ત્યારે તેમના સ્વાગત માટે અયોધ્યાને શણગાર્યો હતો. અયોધ્યાના લોકોએ તેમના ઘરોમાં ઘીના દીવા પ્રગટાવ્યા હતા. અયોધ્યાવાસીનુ માનવુ હતુ કે ભગવાન રામના પરત આવ્યા પછી તેમની નગરી ફરીથી આબાદ થઈ તેને જોતા લોકોમાં ઘર બનાવીને તેને સજાવટના પ્રચલન શરૂ થયુ.
મિથિલામાં છે આ પરંપરા
એવુ કહેવાય છે કે અયોધ્યાના લોકોએ ભગવાનના આવ્યાની ખુશીમાં ઘીના દીવા પ્રગટાવ્યા હતા પણ મિથિલાના લોકો તેથી ખુશ હતા કે તેમની દીકરીનુ ઘર 14 વર્ષ પછી ફરીથી વસ્યો છે. તેના ઘર વસવાને માટીના ઘરથી પ્રતીકાત્મક રૂપથી વ્યક્ત કરાયુ છે. ત્યારે ઘર બનાવવુ સંપન્નતાની નિશાની હતી.