Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો દિવાળી પર કંઈ રાશિઓ પર વરસશે લક્ષ્મી કૃપા

જાણો દિવાળી પર કંઈ રાશિઓ પર વરસશે લક્ષ્મી કૃપા
, બુધવાર, 7 નવેમ્બર 2018 (00:21 IST)
7 નવેમ્બર બુધવારના દિવસે સ્વાતિ અને વિશાખા નક્ષત્ર આયુષ્યમાન અને સૌભાગ્ય યોગ અને તુલા રાશિમાં દિવાળી પડવાને કારણે વેપારમાં ખૂબ વૃદ્ધિ થશે.  વેપારેઓ માટે આખુ વર્ષ શુભ અને લાભકારી રહેશે.  આ વખતે લક્ષ્મી પૂજનથી બધાને ધન, વૈભવ, સંપત્તિ અને શિક્ષાની દ્રષ્ટિથી વિશેષ લાભ પ્રાપ્ત થશે.  ખાદ્ય સામગ્રી, ધાતુઓ વાહનો વગેરેના વેપારીઓને ખૂબ લાભ થશે.  દિવાળી પર આંશિક કાલસર્પ દોષ વ્યાપ્ત થવો, સૂર્યનો નીચ રાશિ તુલામાં હોવા અને રાહુનુ ચંદ્રની કર્ક રાશિમાં હોવાથી એક રીતે દિવાળીને ગ્રહન ગ્રસ્ત કહી શકાય છે જે દેશની સુરક્ષા, સરકાર અને ન્યાય વ્યવસ્થા માટે સારો સંકેત નથી. 
 
દિવાળી કારખાના માલિક, ઉદ્યોગ ઘંધા, શેર બજાર, રાજનેતાઓ અને બુદ્ધિજીવીયો, શિક્ષકો, ન્યાયાધીશ વગેરે માટે શુભ ફળદાયક છે.  તેમને પુષ્કળ માત્રામાં ધન લાભ થશે. અને મિથુન, સિંહ, તુલા, મકર, કુંભ રાશિ વાળા જાતકો અને રાજનેતાઓ પર લક્ષ્મી વરસશે અને ઉચ્ચ પદની પ્રાપ્તિના યોગ બનશે.  બીજી બાજુ મેષ, વૃશ્ચિક, ધનુ અનેમીન રાહિવાળા જાતકો, મુખ્યમંત્રીઓ, રાજનેતાઓ અને અભિનેતાઓ માટે પડકારપૂર્ણ, અગ્નિપરીઆ અને તાજહરણવાળી સાબિત થશે.  તેથી આ જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. 
 
માનનીય સુપ્રીમ કોર્ટની ચમક દમક વધશે.  જનહિતમાં ઐતિહાસિક નિર્ણયો સંભળાવાશે અને ભષ્ટ નેતાઓ પર આફત આવશે. રામ મંદિરના નિર્માન અને રાફેલ પર ઘમાસાન થશે તેમજ ભારતવર્ષના સત્તારૂઢ મુખ્ય નેતાઓ માટે કષ્ટકારી સિદ્ધ થશે.  તેમના પર સુપ્રીમ કોર્ટની વીજળી ત્રાટકશે અને સત્તામાં વિશેષ પરિવર્તન તેમજ રાજનીતિક ઉલટફેરના યોગ બનશે. મોંઘવારીથી જંતા ત્રસ્ત થઈને ઉગ્ર આંદોલન કરશે અને દુનિયા માટે પરિવર્તનનુ વર્ષ સાબિ થશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિવાળીના દિવસે રોટલીના આ ઉપાય બદલશે તમારી કિસ્મત, માત્ર કરવું છે આ કામ