rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કનાડામાં ભારતીય નાગરિક હિમાંશી ખુરાનાની હત્યા, હવે શંકાસ્પદ અબ્દુલને શોધી રહી છે પોલીસ

himanshi khurana murder case
, બુધવાર, 24 ડિસેમ્બર 2025 (12:44 IST)
Canada Indian National Murder: ટોરંટોમાં ભારતના દૂતાવાસે બુધવારે ટોરંટોમાં એક યુવા ભારતીય નાગરિક હિમાંશી ખુરાનાની હત્યા પર ઊંડો શોક વ્યત્ક કર્યો. સોશિયલ મીડિયા મંચ એક્સ પર શેયર કરવામાં આવેલ એક પોસ્ટમાં દૂતાવાસે કહ્યુ કે તે ટોરંટો માં એક યુવા ભારતીય નાગરિક હિમાંશી ખુરાનાની હત્યાથી ખૂબ દુખી અને હેરાન છે. દુખની આ ઘડીમાં તેમના શોકમગ્ન પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના છે.  
 
મામલા પર છે દૂતાવાસની નજર 
ટોરંટોમાં ભારતના દૂતાવાસે છેલ્લા કેટલાક દિવસોથી આ મામલે નજર રાખી છે. દૂતવાસે કહ્યુ કે તપાસ ચાલુ રહેવાની સાથે સાથે સ્થાનીક અધિકારીઓની સાથે મળીને પરિવારે દરેક શક્ય સહાયતા આપવામા આવી રહી છે. દૂતાવાસનુ આ નિવેદન ટોરંટો પોલીસની તરફથી શેયર કરવામાં આવેલ માહિતી વચ્ચે આવ્યુ છે. જેમા કહેવામાં આવ્યુ છે કે શહેરમાં એક 30 વર્ષીય ભારતીય મૂળની મહિલા મૃત મળી આવી અને એક શંકાસ્પદ માટે સમગ્ર કનાડામા ધરપકડનુ વોરંટ રજુ કરવામાં આવ્યુ છે. જેને પીડિતા જાણતી હતી.   
 
ઘરેલુ હિંસા સાથે જોડાયેલો હોઈ શકે છે આ કેસ
મૃતકની ઓળખ ટોરોન્ટોની રહેવાસી હિમાંશી ખુરાના તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે તેઓ આ કેસના સંદર્ભમાં અબ્દુલ ગફૂરી (32), જે ટોરોન્ટોના રહેવાસી પણ છે, તેની શોધ કરી રહ્યા છે. સીબીસી ન્યૂઝ અનુસાર, તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે આ ઘટના ઘરેલુ હિંસા સાથે જોડાયેલી હોય તેવું લાગે છે. ટોરોન્ટો પોલીસે જણાવ્યું હતું કે ગુમ વ્યક્તિનો રિપોર્ટ મળ્યા બાદ અધિકારીઓને શુક્રવારે મોડી રાત્રે ચેતવણી આપવામાં આવી હતી. "શુક્રવાર, 19 ડિસેમ્બર, 2025 ના રોજ, લગભગ 10:41 વાગ્યે, ગુમ વ્યક્તિનો ફોન આવ્યા બાદ પોલીસે સ્ટ્રેચન એવન્યુ અને વેલિંગ્ટન સ્ટ્રીટ વેસ્ટ વિસ્તારમાં કાર્યવાહી કરી," પોલીસે જણાવ્યું હતું.
 
'પીડિતા અને શંકાસ્પદ વ્યક્તિ એકબીજાને ઓળખતા હતા'
પોલીસે જણાવ્યું હતું કે, "શનિવાર, 20 ડિસેમ્બર, 2025 ના રોજ, લગભગ 6:30 વાગ્યે, અધિકારીઓને ગુમ થયેલી મહિલા એક ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી, અને મૃત્યુને હત્યા ગણાવવામાં આવી છે." પોલીસ અનુસાર, પીડિતા અને શંકાસ્પદ વ્યક્તિ એકબીજાને જાણતા હતા. ગફૂરીને ફર્સ્ટ-ડિગ્રી મર્ડર માટે કેનેડા-વ્યાપી વોરંટનો સામનો કરવો પડી રહ્યો છે, એક એવો આરોપ જેમાં જો પૂર્વયોજિત આયોજન અને ઇરાદો કોર્ટમાં સાબિત થાય તો પેરોલ વિના આજીવન કેદની સજા થઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Veer Bal Diwas 2025 date: વીર બાલ દિવસ 2025 માં ક્યારે છે, વીર બાલ દિવસ કેમ ઉજવાય છે, શુ છે સાહિબજાદાની શહીદીનો ઈતિહાસ