Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઠાણેના કપલે 1 લાખ રૂપિયામાં પોતાના 5 દિવસના પુત્રને વેચી દીધો, 6 લોકોની ધરપકડ

ઠાણેના કપલે 1 લાખ રૂપિયામાં પોતાના 5 દિવસના પુત્રને વેચી દીધો, 6 લોકોની ધરપકડ
, બુધવાર, 28 ઑગસ્ટ 2024 (18:19 IST)
નાગપુર પોલીસે પાંચ દિવસના બાળકના પરિવાર સહિત 6 લોકોને બાળકને એક નિ:સંતાન દંપત્તિને 1 લાખ રૂપિયામાં વેચવા બદલ ધરપકડ કરી લીધી છે. પોલીસે આની માહિતી મંગળવારે આપી. તેમણે જણાવ્યુ કે માનવ તસ્કરી વિરોધી દળની કાર્યવાહીથી ગેરકાયદેસર બાળ તસ્કરીનો એક પરેશાન કરનારો મામલો સામે આવ્યો છે. જેમા લેનદાર અને દેનદાર જ નહી પણ લેવદ-દેવડમાં મઘ્યસ્થતા કરનારા બે અન્ય લોકો પણ સામેલ છે. 
  
આરોપી માતા-પિતાએ કથિત રીતે તેમના નવજાત બાળકને એક નિઃસંતાન દંપતીને વેચી દીધું જે બાળકને દત્તક લેવા માટે ઉત્સુક હતા, પરંતુ દત્તક લેવાની કાનૂની પ્રક્રિયાને સાઈડ લાઈન કરી દીધી. પોલીસે જૈવિક માતાપિતા ઉપરાંત, બાળક ખરીદનાર દંપતી અને સોદામાં મદદ કરનાર બે વચેટિયાની પણ ધરપકડ કરી છે.
 
પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સુનિલ ઉર્ફે ભોંડુ દયારામ ગેન્દ્રે (31) અને તેની પત્ની શ્વેતા (27) તરીકે થઈ છે અને નિઃસંતાન દંપતીની ઓળખ પૂર્ણિમા શેલ્કે (32) અને તેના પતિ સ્નેહદીપ ધરમદાસ શેલ્કે (45) તરીકે થઈ છે. બંને થાણે જિલ્લાના બદલાપુરના રહેવાસી છે. તેમણે કહ્યું કે બંને મધ્યસ્થીઓની ઓળખ કિરણ ઈંગલે (41) અને તેના પતિ પ્રમોદ ઈંગલે (45) તરીકે થઈ છે, જેઓ નાગપુરના રહેવાસી છે.
 
પોલીસના જણાવ્યા અનુસાર, સુનીલ અને શ્વેતા ગેન્દ્રેએ 22 ઓગસ્ટે કિરણ અને પ્રમોદ ઈંગલેની મદદથી તેમના નવજાત પુત્રને શેલ્કે દંપતીને વેચી દીધો હતો. શેલકે દંપતી કિરણ ઈંગલેના સગા છે અને તેઓએ નવજાત શિશુ માટે 1 લાખ રૂપિયા ચૂકવ્યા હતા અને કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વિના બાળકને પોતાની સાથે લઈ ગયા હતા.
જામનગરમાં દિલધડક રેસ્ક્યૂ, ધારાસભ્ય રીવાબા જાડેજા પણ જોડાયા. 
 
 
નાગપુર.  નાગપુર પોલીસે પાંચ દિવસના બાલકના પરિવાર સહિત 6 લોકોને બાળકને એક નિ:સંતાન દંપત્તિને 1 લાખ રૂપિયામાં વેચવા બદલ ધરપકડ કરી લીધી છે. પોલીસે આની માહિતી મંગળવારે આપી. તેમણે જણાવ્યુ કે માનવ તસ્કરી વિરોધી દળની કાર્યવાહીથી ગેરકાયદેસર બાળ તસ્કરીનો એક પરેશાન કરનારો મામલો સામે આવ્યો છે. જેમા લેનદાર અને દેનદાર જ નહી પણ લેવદ-દેવડમાં મઘ્યસ્થતા કરનારા બે અન્ય લોકો પણ સામેલ છે. 
  
આરોપી માતા-પિતાએ કથિત રીતે તેમના નવજાત બાળકને એક નિઃસંતાન દંપતીને વેચી દીધું જે બાળકને દત્તક લેવા માટે ઉત્સુક હતા, પરંતુ દત્તક લેવાની કાનૂની પ્રક્રિયાને સાઈડ લાઈન કરી દીધી. પોલીસે જૈવિક માતાપિતા ઉપરાંત, બાળક ખરીદનાર દંપતી અને સોદામાં મદદ કરનાર બે વચેટિયાની પણ ધરપકડ કરી છે.
 
પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સુનિલ ઉર્ફે ભોંડુ દયારામ ગેન્દ્રે (31) અને તેની પત્ની શ્વેતા (27) તરીકે થઈ છે અને નિઃસંતાન દંપતીની ઓળખ પૂર્ણિમા શેલ્કે (32) અને તેના પતિ સ્નેહદીપ ધરમદાસ શેલ્કે (45) તરીકે થઈ છે. બંને થાણે જિલ્લાના બદલાપુરના રહેવાસી છે. તેમણે કહ્યું કે બંને મધ્યસ્થીઓની ઓળખ કિરણ ઈંગલે (41) અને તેના પતિ પ્રમોદ ઈંગલે (45) તરીકે થઈ છે, જેઓ નાગપુરના રહેવાસી છે.
 
પોલીસના જણાવ્યા અનુસાર, સુનીલ અને શ્વેતા ગેન્દ્રેએ 22 ઓગસ્ટે કિરણ અને પ્રમોદ ઈંગલેની મદદથી તેમના નવજાત પુત્રને શેલ્કે દંપતીને વેચી દીધો હતો. શેલકે દંપતી કિરણ ઈંગલેના સગા છે અને તેઓએ નવજાત શિશુ માટે 1 લાખ રૂપિયા ચૂકવ્યા હતા અને કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વિના બાળકને પોતાની સાથે લઈ ગયા હતા.
જામનગરમાં દિલધડક રેસ્ક્યૂ, ધારાસભ્ય રીવાબા જાડેજા પણ જોડાયા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપના 'બંગાળ બંધ' સામે ટીએમસીના વિરોધપ્રદર્શન, મંગળવારે નબન્ના અભિયાન દરમિયાન થઈ હતી હિંસા