Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતીય ટીમ જાહેર, હરભજન બહાર, ગંભીરનુ કમબેક

ભારતીય ટીમ જાહેર, હરભજન બહાર, ગંભીરનુ કમબેક
, ગુરુવાર, 29 સપ્ટેમ્બર 2011 (18:25 IST)
. સંપૂર્ણ ફિટ થયા પછી ચેમ્પિયંસ લેગમાં સારુ પ્રદર્શન કરી રહેલ ઓફ સ્પિનર હરભજન સિંહને ઈગ્લેંડ વિરુદ્ધ 14 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલ ઘરેલુ એકદિવસીય શ્રેણીના પ્રથામ બે મેચો માટે આજે જાહેર ભારતીય ટીમમાં સ્થાન ન મળી શક્યુ. જ્યારે કે સચિન સહિત અનેક ઘાયલ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

કૃષ્ણામાચારી શ્રીંકાતની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પસંદગી સમિતિની અહી થયેલ બેઠકમાં 15 સભ્યોની ટીમમાં પંજાબના લેગ સ્પિનર રાહુલ શર્મા અને કર્ણાટકના ઝડપી બોલર શ્રીનાથ અરવિંદ નવા ચેહરા છે. ઈગ્લેંડ પ્રવાસમાં ટીમનો ભાગ રહ્યા પણ કોઈ મેચ ન રમી શકેલ ઝડપી બોલર વરુણ આરોનને પણ ટીમમાં લેવામાં આવ્યા છે.

અનુભવી બેટ્સમેન સચિન, સેહવાગ, ઝહીર ખાન, યુવરાજ સિંહ, રોહિત શર્મા, મુનાફ પટેલ અને ઈશાંત શર્માને ઘાયલ હોવાથી આરામ આપવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati