Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વન-ડે માં પરિવર્તન ઠીક નહીં. ઈમરાન

વન-ડે માં પરિવર્તન ઠીક નહીં. ઈમરાન

ભાષા

કરાચી , રવિવાર, 6 સપ્ટેમ્બર 2009 (18:21 IST)
સચિન તેંદુલકરના એકદિવસીય ક્રિકેટના પ્રારૂપમાં પરિવર્તનનો વિચાર ભૂતપૂર્વ પાકિસ્તાન કપ્તાન ઇમરાન ખાનને પસંદ પડ્યો નથી. પાકિસ્તાનના ભૂતપૂર્વ તેજ બોલરનું માનવું છે કે, 50 ઓવરોની રમત પોતાનામાં જ એક રોમાંચ છે અને તેમાં પરિવર્તન કરવાની કોઈ જરૂરિયાત નથી.

ઝડપી બોલર શોએબ અખ્તર સાથે શૌકત ખાનમ કૈંસર રિસર્ચ હોસ્પિટલ માટે નાણા એકત્ર કરવાના પોતાના બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત અહીં પહોંચેલા ઈમરાને કહ્યું કે, રમતના પ્રત્યેક પ્રારૂપની પોતાની ઉપયોગિતા અને રોમાંચ છે અને શ્રેષ્ઠ એ જ રહેશે કે, તેમાં પરિવર્તન ન કરવામાં આવે.

Share this Story:

Follow Webdunia gujarati