Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રવિણની ઉણપ લાગશે - ધોની

પ્રવિણની ઉણપ લાગશે - ધોની
બેંગલુરુ. , ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2011 (15:30 IST)
N.D
ભારતીય કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીનું કહેવુ છે કે ટીમને 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલ વિશ્વકપમાં મધ્યમ ઝડપી બોલર પ્રવિણ કુમારની ઉણપ વર્તાશે, જે કોણી પર વાગવાને કારણે આ મેગા ટૂર્નામેંટમાંથી બહાર થઈ ગયા છે.

ધોનીએ પ્રી-ટૂર્નામેંટ પ્રેસ કોંફ્રેંસમાં કહ્યુ કે પ્રવિણનું ન રમવુ એ અમારે માટે દુર્ભાગ્યપૂર્ણ છે. વનડે મેચોમાં તેમણે સતત સારુ પ્રદર્શન કર્યુ છે. તેઓ એક ચતુર ક્રિકેટર છે. જેમણે ટીમ વિશ્વકપમાં મિસ કરશે.

પ્રવિણને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર કોણીમાં વાગ્યુ હતુ અને તે સોમવારે વિશ્વકપ ટીમમાંથી બહાર થઈ ગયા. તેમના સ્થાન પર કેરલના ઝડપી બોલર શાંતકુમારન શ્રીસંથને 15 સભ્યોની ટીમમાં લેવામાં આવ્યા છે. બોલને સ્વિંગ કરાવવામાં નિપુણ પ્રવિણ ભારતીય પિચો પર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકતા હતા. એ જ કારણ હતુ કે તેમને અન્ય બોલરો કરતા વધુ મહત્વ આપીને ટીમમાં લેવામાં આવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati