Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નૈશે ન્યૂઝીલેન્ડને ચેતવ્યું

નૈશે ન્યૂઝીલેન્ડને ચેતવ્યું

ભાષા

વેલિંગ્ટન , શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (16:40 IST)
ન્યૂઝીલેન્ડે ભલે ટ્વેન્ટી 20 શ્રેણીમાં જીતી ટીમ ઇન્ડિયા ઉપર હાવી થઇ છે જોકે રાષ્ટ્રીય પસંદગીકર્તા ડિયોન નૈશે પોતાના ખેલાડીઓને આગામી વન ડે શ્રેણીમાં ભારત પલટવાર કરનાર હોવાથી સતર્ક રહેવા માટે ચેતવ્યા છે.

નૈશે ન્યૂઝીલેન્ડના ત્રણ સભ્યોવાળી પસંદગી સમિતિના સભ્ય છે. તેમણે કહ્યું કે ભારતીય ટીમ પોતાની રમતમાં ટોચે છે. અત્યારના સમયમાં તે સારી ટીમ છે. આ માત્ર લયની વાત છે કે ન્યૂઝીલેન્ડ બંને મેચ જીતી ગયું છે.

તેમણે કહ્યું કે, ભારતીય ટીમનો લય તોડવો અને તેમને ફરીથી વિચાર કરવા માટે મજબુર કરવા એ ન્યૂઝીલેન્ડનું લક્ષ્ય છે. તેમણે કહ્યું કે, ટ્વેન્ટી 20 શ્રેણીમાં વિજય મેળવી એક કદમ વધાર્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati