Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેકેઆરનો મેચ નહીં જોવે શાહરૂખ

કેકેઆરનો મેચ નહીં જોવે શાહરૂખ

ભાષા

નવી દિલ્હી , મંગળવાર, 13 એપ્રિલ 2010 (16:33 IST)
ND
N.D
કોલકાતા નાઈટરાઈડર્સના માલિક શાહરૂખ ખાને કહ્યું છે કે, તે ઈંડિયન પ્રીમિયર લીગમાં તેમની ટીમ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે કાલે એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં યોજાનારા મેચને જોવા માટે નહીં જાય. નાઈટરાઈડર્સને સેમીફાઈનલની દોડમાં બનેલા રહેવા માટે આ મેચમાં દરેક સ્થિતિમાં જીત નોંધાવવી પડશે. કેકેઆરના મોટાભાગના મેચ જોનારા શાહરૂખે ટ્વિટર પેજ લખ્યું છે કે, હું મેચ જોવા માટે ચેન્નઈ નહીં જાવ. ટીમને આત્મમંથન કરવા અને મારા ભાવનાત્મક અને શારીરિક.. હસ્તક્ષેપ વગર રમવાની જરૂરિયાત છે.

ટીમના પ્રદર્શનથી નિરાશ શાહરૂખે કહ્યું કે, ટીમના હિતમાં માત્ર ખેલાડીની જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. કારણ કે, જે કંઈ મેદાન પર થાય છે તે મહત્વ ધરાવે છે.

બોલીવુડ સુપરસ્ટારે કહ્યું કે, સારી રીતે દુવા કરવાથી કેકેઆરને મદદ મળશે. હું એવું માનતો નથી. મારુ માનવું છે કે, કેકેઆર મેચોમાં શ્રેષ્ઠ રમવાથી અમને મદદ મળશે.

Share this Story:

Follow Webdunia gujarati