Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેકેઆરની હારથી શાહરૂખ દુ:ખી

કેકેઆરની હારથી શાહરૂખ દુ:ખી

ભાષા

મુંબઈ , બુધવાર, 14 એપ્રિલ 2010 (15:47 IST)
IFM
IFM
મંગળવારે રાત્રે શાહરુખ ખાનની માલિકીવાળી કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) ને ચેન્નઈ સુપરકિંગ્સથી મળેલી હાર બાદ બોલીવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાનને ખુબ જ દુખ પહોંચ્યું અને તેમણે માન્યું કે, કેકેઆરના લચર પ્રદર્શનના કારણે તેમનું દિલ તુટી ગયું છે.

કિંગ ખાને ટ્વિટર પર લખ્યું છે કે, ખરાબ બેટીંગ અને બોલીંગના કારણે અમે સેમીફાઈનલની દોડમાંથી બહાર થઈ ગયાં છીએ. શાહરૂખે કોલકાતા શહેરનો ખાસ આભાર માન્યો અને લખ્યું કે, આપના સપોર્ટ માટે અમે આપના આભારી છીએ. આપે અમારુ માન વધર્યું પરંતુ અમારી ટીમ આપના માટે કંઈ પણ ન કરી શકી. હું ભવિષ્ય માટે માટે હવે કોઈ વાયદો કરવા ઈચ્છતો નથી, હું એ અધિકાર ગુમાવી ચૂક્યો છું.

શાહરુખે કહ્યું કે, કાલે રાત્રે હાર્યા બાદ મારા બાળકોએ મને ગળે લગાડ્યો. અમે ત્રણ વર્ષથી હારી રહ્યાં છીએ પરંતુ પ્રથમ વખત મારા બાળઓએ મને હારના દુખમાંથી બહાર આવવામાં મદદ કરી. તે હારનું દુખ ભૂલાવી ચૂક્યાં છે અને આ મુદ્દે મારાથી વધુ પરિપક્વતા દેખાડી રહ્યાં છે.

શાહરૂખને આ પ્રકારે દુખી જોઈને પોતાના જમાનાના સુપર સ્ટાર શમ્મી કપૂરે તેમને હિમ્મત આપી. શમ્મીએ ટ્વિટર પર શાહરૂખને જવાબ આપતા લખ્યું છે કે, દુખમાંથી બહાર આવો અને જિદંગીમાં નવા પડકાર માટે ખુદને તૈયાર કરો.

Share this Story:

Follow Webdunia gujarati