ચંદીગઢ(વાર્તા) અન્ડર-19ની વિશ્વવિજેતા ટીમના પંજાબના ચાર ખેલાડીઓને રાજ્ય સરકાર દ્વારા એક-એક લાખનુ ઈનામ આપવાની ઘોષણા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે પંજાબના સિદ્ધાર્થ કૌલ, તરુવર કોહલી, મનદીપસિંહ અને પેરી ગોયલને અભિનંદન પાઠવી રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી હતી.