Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધોનીની ટીમ આઈપીએલમાંથી બહાર !!

ધોનીની ટીમ આઈપીએલમાંથી બહાર !!
નવી દિલ્હી. , ગુરુવાર, 22 જાન્યુઆરી 2015 (16:40 IST)
સુપ્રીમ કોર્ટે આજે આઈપીએલ સ્પોટ ફિક્સિંગ પર પોતાનો નિર્ણય સંભળાવતા એન. શ્રીનિવાસનને મોટો ઝટકો આપ્યો. જે કારણે શ્રીનિવાસન હવે બીસીસીઆઈની ચૂંટણી નહી લડી શકે. સુપ્રીમ કોર્ટે પોતાના 130 પેજના જજમેંટમાં કહ્યુ કે ગુરૂનાથ મયપ્પન અને રાજ કુંદ્રા ટીમ ઓફિસિયલ હતા. કોર્ટે કહ્યુ કે એન. શ્રીનિવાસનના જમાઈ ગુરૂનાથ મયપ્પન સટ્ટેબાજીમાં જોડાયા હતા. 
 
ન્યાયમૂર્તિ ટીએસ ઠાકુર અને એફએમઆઈ કલીફુલ્લાની ખંડપીઠે ગયા વર્ષે 17 ડિસેમ્બરના રોજ આ મામલે પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. બીજી બાજુ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ અને રાજસ્થાન રોયલ્સની ટીમ બહાર થઈ ગઈ છે. 

Share this Story:

Follow Webdunia gujarati