Publish Date: Tue, 15 Aug 2023 (20:55 IST)
Updated Date: Wed, 16 Aug 2023 (07:57 IST)
શ્રીલંકાના સ્ટાર ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગાએ તેની આંતરરાષ્ટ્રીય ટેસ્ટ કારકિર્દીમાંથી નિવૃત્તિ લીધી છે. હસરંગાએ તેને છોડતા પહેલા રમતના સૌથી લાંબા ફોર્મેટમાં ચાર ટેસ્ટ મેચ રમી હતી. તેણે તેની રેડ-બોલ કારકિર્દીમાં ચાર વિકેટ લીધી અને અડધી સદીની મદદથી 196 રન બનાવ્યા.
2020માં કર્યું હતું ડેબ્યૂ
લેગ-બ્રેક બોલરે ડિસેમ્બર 2020માં સેન્ચુરિયન ખાતે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેમની છેલ્લી મેચ એપ્રિલ 2021માં પલ્લેકલે ખાતે રમાઈ હતી.
હસરંગા સફેદ બોલના ક્રિકેટમાં, ખાસ કરીને T20I માં વિશ્વના શ્રેષ્ઠ સ્પિન બોલરોમાંનો એક છે. એશિયા કપ 2022માં શ્રીલંકાની શાનદાર જીતમાં તે મુખ્ય ખેલાડી હતો. તેણે 6 મેચમાં 9 વિકેટ લીધી હતી અને ભારતના ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર (11) પછી તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજા ક્રમે હતો.
વર્લ્ડ કપમાં કરી હતી કમાલ
હસરંગાએ T20 વર્લ્ડ કપ 2021માં પણ સૌથી વધુ વિકેટ લીધી હતી. શ્રીલંકા માટે તેણે 8 મેચમાં 16 વિકેટ લીધી હતી. તે જ સમયે, વર્લ્ડ કપ 2022 માં, તેણે 8 મેચમાં 15 વિકેટ લીધી હતી. ઝિમ્બાબ્વેમાં તાજેતરમાં સમાપ્ત થયેલ ODI વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં તેણે માત્ર 7 મેચમાં 22 વિકેટ ઝડપી હતી. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં શ્રીલંકાની ટીમે નેધરલેન્ડને હરાવીને ટ્રોફી જીતી હતી. આગામી એશિયા કપ અને વર્લ્ડ કપમાં પણ હસરંગાની ભૂમિકા ઘણી મહત્વની રહેશે.