Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Virat Kohli 100th Test: વિરાટ કોહલીએ બતાવ્યો 100મી ટેસ્ટ રમવાનો ફોર્મૂલા, ફેંસ સાથે શેયર કરી દિલની વાત

Virat Kohli 100th Test: વિરાટ કોહલીએ બતાવ્યો 100મી ટેસ્ટ રમવાનો ફોર્મૂલા, ફેંસ સાથે શેયર કરી દિલની વાત
, ગુરુવાર, 3 માર્ચ 2022 (21:51 IST)
શ્રીલંકા વિરુદ્ધ (IND VS SL) મોહાલીમાં જેવી જ ટીમ ઈંડિયા પહેલી ટેસ્ટ રમવા ઉતરશે તો આ વિરાટ કોહલી (Virat Kohli 100th Test) માટે ક્યારેય ન ભૂલાનારો મુકબલો રહેશે. વિરાટ કોહલીએ પોતાના કેરિયરની 100મી ટેસ્ટ મોહાલીના પીસીએ સ્ટેડિયમ (India vs Sri Lanka, 1st Test)માં રમવાના છે. આ ખાસ ઉપલબ્ધિ પહેલા વિરાટ કોહલીએ પોતાના દિલની વાત ફેંસ સાથે શેયર કરી. વિરાટ કોહલીએ કહ્યુ કે તેમણે ક્યારેય નહોતુ વિચાર્યુ કે તેઓ 100 ટેસ્ટ મેચ રમશે.  વિરાટ કોહલીએ એમ પણ કહ્યું કે તેમને માટે ટેસ્ટ ક્રિકેટ સૌથી મહત્વની બાબત છે અને તેને જીવંત રાખવા માટે ટેસ્ટ ક્રિકેટનો સ્વાદ લેવો જરૂરી છે. BCCI દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વિરાટ કોહલીનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટનું મહત્વ જણાવી રહ્યો છે.
 
વિરાટ કોહલીએ કહ્યું, 'મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું 100 ટેસ્ટ મેચ રમીશ. 100 ટેસ્ટ મેચ રમીને મેં ઘણું ક્રિકેટ રમ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર્યાપ્ત થયું છે અને હું 100 ટેસ્ટ સુધી પહોંચવામાં સફળ રહ્યો છું, તે એક મોટી ઉપલબ્ધિ છે. ભગવાનની કૃપા. મેં મારી ફિટનેસ પર કામ કર્યું છે અને આ મારા, મારા પરિવાર અને મારા કોચ માટે ખૂબ જ ખાસ ક્ષણ છે. તે ખૂબ જ ખુશ છે
વિરાટ કોહલીએ જણવ્યો  100 ટેસ્ટ રમવાનો ફોર્મ્યુલા 

વિરાટ કોહલીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે કેવી રીતે 100 ટેસ્ટ રમી શકાય. વિરાટે કહ્યું, 'મેં ક્યારેય ટૂંકી ઇનિંગ્સ વિશે વિચાર્યું નથી. મેં જુનિયર ક્રિકેટમાં ઘણી મોટી ડબલ સેંચુરી ફટકારી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પહોંચતા પહેલા જ મેં 7-8 ડબલ સેંચુરી ફટકારી હતી. મારો વિચાર હંમેશા શક્ય હોય ત્યાં સુધી બેટિંગ કરવાનો રહ્યો છે. મેં હંમેશા ટીમને જીતાડવાનો પ્રયાસ કર્યો છે. મેં હંમેશા પ્રથમ દાવમાં લીડ લેવાનો પ્રયાસ કર્યો. આ વસ્તુઓ તમારી પરીક્ષા લે છે. મેં આનો ખૂબ આનંદ ઉઠાવ્યો. ટેસ્ટ ક્રિકેટને જીવીત રાખવાની જરૂર છે અને આ વાસ્તવિક ક્રિકેટ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતીય વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા, પાછા યુક્રેન મોકલવામાં આવ્યા: બેલારુસના રાજદૂત