Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ક્રિકેટના આ ફોર્મેટના વિરુદ્ધ છે કપ્તાન વિરાટ કોહલી, બોલ્યા ક્યારેય નહી રમુ

ક્રિકેટના આ ફોર્મેટના વિરુદ્ધ છે કપ્તાન વિરાટ કોહલી, બોલ્યા ક્યારેય નહી રમુ
લંડન. , બુધવાર, 29 ઑગસ્ટ 2018 (17:52 IST)
ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન અને વર્તમન સમયમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક વિરાટ કોહલીએ ઈગ્લેંડ ક્રિકેટ બોર્ડ દ્વારા પ્રસ્તાવિત 100 બોલવાળી ક્રિકેટ ટુર્નામેંટને લઈને ચિંતા વ્યક્ત કરી છે.  ઈસીબીને ટી-20 ટુર્નામેંટને બદલે  100 બોલના ક્રિકેટ ટુર્નામેંટનુ આયોજન કરવાનો નિર્ણય લીધો છે.   પુરૂષ અને મહિલા બંને વર્ગમાં આ ટૂર્નામેંટનુ આયોજન કરવામાં આવશે. જેમા આઠ આઠ ટીમો ભાગ લેશે. 
 
વિરાટનુ માનવુ છેકે ક્રિકેટના આ નવા સ્વરૂપથી રમતની ગુણવત્તામાં કમી આવશે જે કારણે તેઓ ચિંતિત છે. 
 
વિરાટે કહ્યુ આ ટુર્નામેંટની પ્રક્રિયામાં સામેલ થનારા લોકો માટે આ ખૂબ રોમાંચક હશે પણ હુ ક્રિકેટના એક અન્ય સ્વરૂપ વિશે વિચારી પણ શકતો નથી.  આજના સમયમાં જ્યરે આટલી વધુ ક્રિકેટ રમાય રહી છે તો આ નવી ટુર્નામેંટ ખેલાડીઓ ઉપર વધારાનો ભાર હશે.   હુ સમજુ છુ કે વ્યાપારિક પહેલુ ક્રિકેટની ગુણવતા પર ભારે પડી રહ્યો છે અને હુ તેને લઈને ચિંતિત છુ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાર્દિકના ઉપવાસનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, પોલીસ સામે અરજી