Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જરૂર પડશે તો અનુષ્કા માટે જીવ પણ આપી દઈશ - વિરાટ કોહલી

જરૂર પડશે તો અનુષ્કા માટે જીવ પણ આપી દઈશ - વિરાટ કોહલી
નવી દિલ્હી. , મંગળવાર, 21 એપ્રિલ 2015 (11:34 IST)
હુ જેને પ્રેમ કરુ છુ જરૂર પડશે તો તેને માટે જીવ પણ આપી દઈશ. આ એ શબ્દ છે જે વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા  વિશે પૂછવામાં આવેલ એક પ્રશ્નના જવાબમાં કહ્યા. એક છાપામાં આપેલ ઈંટરવ્યુમાં વિરાટે અનુષ્કા સહિત ફેમિલી વિશે પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબમાં સાર્વજનિક જવાબ આપ્યો. અનુષ્કા સાથેના સંબંધો વિશે પૂછતા વિરાટ કોહલીએ કહ્યુ, "હુ અને અનુષ્કા અમારા સંબંધોને લઈને ખૂબ સજાગ છીએ.  કેટલાક લોકો આ સંબંધોને કોઈ ફેંટેસી સ્ટોરીની જેમ વિચાર છે. પણ તે સચ્ચાઈથી ખૂબ દૂર છે." 
 
સંબંધોમાં કોઈની દખલ મંજુર નથી 
 
અનુષ્કા સાથેના સંબંધોની વચ્ચે ક્રિકેટનો અવરોધ આવવાના પ્રશ્ન પર કહ્યુ, 'અમારો પ્રેમ એક સામાન્ય સંબંધ છે. અમે નિર્ણય કર્યો છે કે અમે જે ઈચ્છીશુ એ જ કરીશુ. આ સંબંધોમાં કોઈની દખલ પસંદ નથી. અમારે માટે કોઈ બીજાના વિચારો મહત્વના નથી. અમે જાણીએ છીએ કે વિરોધીઓને કેવી રીતે ચૂપ કરવાના છે.' આ દરમિયાન વિરાટે જણાવ્યુ કે તેઓ અનુષ્કાને પહેલીવાર શૈપૂની જાહેરાત દરમિયાન મળ્યા હતા. 
 
એકબીજા પર વિશ્વાસ કરીએ છીએ. 
 
એક પ્રશ્નના જવાબમાં વિરાટે કહ્યુ, "અમે બંને એકબીજાનો ખૂબ ખ્યાલ રાખીએ છીએ. વર્લ્ડ કપમાં ટીમની હાર પછી લોકોએ અનુષ્કાનુ પૂતળુ અને ફોટો સળગાવ્યા હતા આ વાતે મને ખૂબ દુખી કર્યો છે. આવુ ન થવુ જોઈએ." ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપના સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમ ઈંડિયાની હાર પછી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના સંબંધોને લઈને સોશિયલ સાઈત પર જોરદાર કમેંટ કરવામાં આવી હતી.  આ બંને ક્રિકેટ ફેંસના નિશાના પર હતા. 

Share this Story:

Follow Webdunia gujarati