Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bhopal: ધોતી-કૂર્તામાં ઉતર્યા ક્રિકેટર, સંસ્કૃતમાં થઈ કોમેંટ્રી, ભોપાલમાં શરૂ થઈ અનોખી મેચ શ્રેણી

bhopal cricket
ભોપાલના અંકુર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલી મહર્ષિ ફ્રેન્ડશીપ મેચ સિરીઝ-6 માં પરંપરાગત શૈલીમાં ક્રિકેટ રમાઈ રહી  છે. ખેલાડીઓ ધોતી-કુર્તા અને તિલક-ત્રિપુંડ પહેરીને મેદાનમાં ઉતરી રહ્યા છે, જ્યારે કોમેન્ટ્રી સંપૂર્ણપણે સંસ્કૃતમાં છે. વૈદિક બ્રાહ્મણ યુવા ખેલ કલ્યાણ સમિતિ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં 27 ટીમો ભાગ લઈ રહી છે.
 
ભોપાલના શિવાજી નગર સ્થિત અંકુર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે સોમવારથી એક અલગ પ્રકારનું ક્રિકેટ જોવા મળી રહી  છે. ખેલાડીઓ પરંપરાગત જર્સીને બદલે ધોતી-કુર્તા પહેરી રહ્યા છે અને કોમેન્ટરી બોક્સ હિન્દી કે અંગ્રેજી નહીં પણ સંસ્કૃતમાં ગુંજતું રહે છે. મહર્ષિ ફ્રેન્ડશીપ મેચ સિરીઝ 6 શરૂ થઈ ગઈ છે અને 9 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. વૈદિક બ્રાહ્મણ યુવા ખેલ કલ્યાણ સમિતિ દ્વારા પરશુરામ કલ્યાણ બોર્ડના સહયોગથી આયોજિત, રાજ્યભરમાંથી 27 ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. આ શ્રેણી સતત છઠ્ઠા વર્ષે યોજાઈ રહી છે, અને દર વર્ષે દર્શકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બોર્ડના પ્રમુખ વિષ્ણુ રાજોરિયાએ જણાવ્યું હતું કે, "આ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી સત્તાવીસ ટીમો ભાગ લેશે. આ સતત છઠ્ઠું વર્ષ છે. આ મેચનો હેતુ હિન્દુ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે."
ક્રિકેટના દરેક શબ્દનો સંસ્કૃત રૂપ 
મેચ દરમિયાન મેદાન પર ક્રિકેટ સાથે જોડાયેલ રોજ બરોજના શબ્દ પણ સંસ્કૃતમાં જ બોલવામાં આવી રહ્યા છે. પિચને ક્ષિપ્યા, બોલને કન્દુક, બેટને વલ્લક અને રનને ધાવનમ કહેવામાં આવી રહ્યુ છે. ચોક્કાને ચતુષ્કમ, છક્કાને ષઠકમ અને અંપાયરને નિર્ણાયક સંબોધિત કરવામાં આવી રહ્યુ છે. જેનાથી દર્શકોને ક્રિકેટ સાથે સંસ્કૃતનો પણ નવો અનુભવ મળી રહ્યો છે.  
 
તિલક-ત્રિપુંડ સાથે મેદાનમાં ખેલાડી 
મેચ દરમિયાન ખેલાડી ધોતી-કુર્તા સાથે માથા પર તિલક અને ત્રિપુંડ લગાવતા જોવા મળી રહ્યા છે. રન લેવાથી લઈને આઉટ થતા સુધી મેદાનમાં થનારા દરેક સંવાદ સંસ્કૃત ભાષામાં થઈ રહ્યા છે. જે આ ટૂર્નામેંટને પ્રદેશનુ અનોખુ આયોજન બનાવે છે.   
 
વિજેતાઓને પં. ધીરેન્દ્ર શાસ્ત્રી કરશે સન્માનિત 
 સ્પર્ધાની વિજેતા અને રનર-અપ ટીમોને ખાસ ઇનામો આપવામાં આવશે. મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝને શ્રીમદ્ ભાગવત ગીતા અને શ્રી રામચરિત માનસ એનાયત કરવામાં આવશે. ટુર્નામેન્ટના સમાપન પર, વિજેતા ટીમને બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા સન્માનિત કરવામાં આવશે. આયોજકોના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમનો હેતુ રમતગમત દ્વારા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાને જનસાધારણમાં ફેલાવવાનો છે. અગાઉ, કાશીમાં આવા કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે, જ્યારે ભોપાલમાં આ પ્રયોગ વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાંગ્લાદેશ પોલીસે ઉસ્માન હાદીની હત્યાને લઈને ખોલ્યુ રહસ્ય, બતાવ્યુ કેમ થયુ મર્ડર, કોણો છે હાથ