Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND vs AUS: મેલબોર્નથી ગુડ ન્યુઝ, ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો

IND vs AUS: મેલબોર્નથી ગુડ ન્યુઝ, ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો
, સોમવાર, 4 જાન્યુઆરી 2021 (10:33 IST)
કોવિડ-19 પ્રૉટોકૉલને તોડવાને લઈને ચાલી રહેલ વિવાદ વચ્ચે ટીમ ઈંડિયા માટે એક ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. 3 જાન્યુઆરીના રોજ મેલબર્નમાં થયેલ બધા ભારતીય ખેલાડીઓનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો કહ્હે. બીસીસીઆઈએ આ વાતની માહિતી આપી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો સોમવારે સિડની માટે રવાના થશે, જ્યા શ્રેણીની ત્રીજી ટેસ્ત મેચ રમાવાની છે. ચાર મેચની ટેસ્ટ શ્રેણી હજુ 1-1ની બરાબરઈ પર છે. મેલબર્નમાં રમાયેલ બૉક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ભારતની ટીમે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવ્યુ હતુ. 
 
એએનઆઈના સમાચાર મુજબ  બીસીસીઆઈએ એક નિવેદન બહાર પાડતાં કહ્યું, '3 જાન્યુઆરીએ ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમનારા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનુ  કોવિડ -19 માટે આરટી-પીસીઆર પરીક્ષણ કરાવ્યું હતું. તમામ પરીક્ષણોનું રિઝલ્ટ નેગેટિવ રહ્યું છે. રેસ્ટોરન્ટમાં ચાલી રહેલા વિવાદને જોતા ભારતીય ટીમ માટે આ એકદમ રાહતની વાત છે. ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા, નવદીપ સૈની, પૃથ્વી શો, શુબમન ગિલ અને ઋષભ પંત પર તે સમયે કોવિડ -19 પ્રોટોકોલ તોડવાનો આરોપ હતો. જ્યારે 5  ખેલાડીઓ મેલબોર્નની રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. આ દરમિયાન એક ફેન્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેયર કર્યો હતો અને દાવો કર્યો હતો કે પંતે તેને ગળે ભેટ્યો હતો. આ પછી, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પાંચ ખેલાડીઓને આઈસોલેશનમાં રહેવાનું કહ્યું હતું.
 
આ સિવાય બ્રિસ્બેન ટેસ્ટને લઈને પણ આ સમયે  ઘણા વિવાદ ચાલી રહ્યા છે. ટીમ ઇન્ડિયાએ બ્રિસ્બેનમાં થયેલા ક્વારંટાઈંન રોકને કારણે ત્યાં ન જવાની ઈચ્છા દર્શાવી હતી અને કહ્યું હતું કે તે એક જ શહેરમાં રહીને બંને ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર છે. ત્યારબાદ ક્વીન્સલેન્ડ સરકારે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે જો ભારતીય ટીમ નિયમ મુજબ રમવા માંગતી નથી તો તે બ્રિસ્બેન ન આવે. દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન બ્રેડ હેડિન ભારતીય ટીમની ટીકા કરતા કહ્યુ કે ગાબામાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ જોઈને ટીમ ઇન્ડિયાને પરસેવો આવી ગયો છે અને તે ડરી ગઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યમાં જૂનાગઢના બાંટવામાં 50થી વધુ મૃત પક્ષી મળતાં ખળભળાટ મચી ગયો