Publish Date: Tue, 09 Dec 2025 (12:36 IST)
Updated Date: Tue, 09 Dec 2025 (13:19 IST)
Smriti Mandhana Latest Instagram Post: સ્મૃતિ મંઘાનાની એક સોશિયલ મીડિયા પોસ્ટે ઈંટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. આ ભારતીય ઓપનરના મ્યુઝિક કંપોઝર પલાશ મુચ્છલ સાથે સગાઈ તૂટ્યા બાદ થયુ છે. સ્મૃતિ મંઘાનાની ઈસ્ટાગ્રામ પોસ્ટ, જેનુ કૈપ્શન હતુ, મારા માટે શાંતિ મતલબ ચૂપ રહેવુ નથી... આ એક કંટ્રોલ છે. " તેમની આ પોસ્ટને થોડાક જ કલાકમાં આઠ લાખ લાઈક્સ મળી ગયા. જેનાથી બ્રેકઅપની સ્થિતિને લઈને ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ. આ પોસ્ટ એક પૉપુલર સ્માર્ટફોન બ્રાંડના પેડ પ્રમોશનનો ભાગ હતી સ્મૃતિ મંઘાનાએ આ પહેલા 7 ડિસેમ્બરના રોજ એક નાનકડા પબ્લિક સ્ટેટમેંટ સાથે પોતાનુ મૌન તોડ્યુ હતુ. જેમા તેમને પ્રાઈવેસીની રિકવેસ્ટ કરી હતી અને ફેંસને તેમના આ નિર્ણયનુ સન્માન કરવાની રિકવેસ્ટ કરી હતી. કારણ કે તે એક ખૂબ જ પર્સનલ ચેપ્ટરને ખતમ કરવાની કોશિશ કરી રહી હતી.
ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં કપલની સગાઈ થઈ હતી. જ્યારે મુચ્છલે ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં મંઘાનાના પ્રપોઝલ આપીને સરપ્રાઈઝ આપ્યુ હતુ. જે ઈંડિયા વિમેંસ વર્લ્ડ કપ ફાઈનલ જીતનુ સ્થાન હતુ. જો કે લગ્નની સવારે અચાનક મેડિકલ ઈમરજેંસી પછી મંઘાનાના પિતાને હોસ્પિટલમાં દાખલ થયા બાદ સેરેમની અચાનક પોસ્ટપોન કરવામાં આવી હતી.
થોડા સમય પછી, પલાશ મુછલને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જે ભારે સ્ટ્રેસમાં આવી ગયો હતો. થોડા કલાકોમાં જ, બંને પરિવારોને બેવડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જેના કારણે લગ્ન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. અલગ થયાના થોડા દિવસો પછી, મંધાનાએ તાલીમ પર પાછા ફરવાનો સંકેત આપતી એક પોસ્ટ શેર કરી - જે દર્શાવે છે કે તે ક્રિકેટ પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પરંતુ પ્રમોશનલ હોવા છતાં, તેની નવીનતમ પોસ્ટે ફરી એકવાર નોંધપાત્ર ધ્યાન ખેંચ્યું છે. ફેંસ અને ફોલોઅર્સ તેના શબ્દો પાછળના ઊંડા અર્થને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.