Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

NZ vs IND: ઘાયલ રોહિત શર્માના સ્થાન પર મયંક અગ્રવાલ વનડે ટીમમાં, શૉ અને ગીલને પણ ટીમમાં મળ્યુ સ્થાન

NZ vs IND:  ઘાયલ રોહિત શર્માના સ્થાન પર મયંક અગ્રવાલ વનડે ટીમમાં, શૉ  અને ગીલને પણ ટીમમાં મળ્યુ સ્થાન
હેમિલ્ટન , મંગળવાર, 4 ફેબ્રુઆરી 2020 (14:54 IST)
New Zealand vs India:ન્યુઝીલેંડ વિરુદ્ધ બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ઓપનિંગ બેટ્સમ્ેન પૃથ્વી શૉએ મંગળવારે કમબેક કર્યુ છે. જ્યારે કે બુધવારેઅથી અહી સરહ્રૂ થનારી ત્રણ મેચોની વનડે સ્ર્હેણી માટે ઘાયલ રોહિત શર્માના સ્થાન પર મયંક અગ્રવાલને ટીમમાઍં સામેલ કરવામાં આવ્યો છે. ભારત માટે અંતિમ વખત ઓક્ટોબર 2018માં રમેલા શૉ ની ટેસ્ટ ટીમમાં કમબેક રોહિત શર્માના ઘાયલ થવાને કારણે થઈ છે. બે ટેસ્ટ મેચની  શ્રેણી 21 ફેબ્રુઆરીના રોજ વેલિગટનમાં શરૂ થશે.  ટેસ્ટ મેચની ટીમમાં યુવા બેટ્સમેને શુભમ ગીલ નો પણ સમાવેશ છે. 
 
ત્રણ મેચોની વનડે શ્રેણીમાંથી પણ રોહિત શર્માને બહાર રાખવામાં આવ્યા છે અને તેના સ્થાન પર મયંક અગ્રવાલને તક મળી છે.  અગ્રવાલ અને પૃથ્વી શૉ ની જોડી રમતની શરૂઆત કરશે. એ જ રીતે કેએલ રાહુલ મધ્યમક્રમમાં બેટિંગ માટે ઉઅતરે. મયંકે અત્યાર સુધી 9 ટેસ્ટ મેચ રમ્યા છે અને ત્રણ સદી અને એટલી જ હાફ સેંચુરીની મદદથી 872 રન બનાવ્યા છે.  તે અત્યાર સુધી બે ડબલ સેંચુરી મારી ચુક્યા છે. આક્રમક અંદાજમાં બૈટિંગ કરનારા મય%કની ટેસ્ટ સરેરાશ 67.08 ની છે. 
 
બીસીસીઆઈએ એક નિવેદનમાં કહ્યુ , "રવિવારે તૌરાંગામાં ન્યુઝીલેંડ વિરુદ્ધ પાંચમી ટી20 મેચ રમવા દરમિયાન ઉપકપ્તાન રોહિત શર્માની પીંડલીઓની માંસપેશીઓમાં ખેચાવ આવી ગયો હતો. સોમવારે હૈમિલ્ટનમાં તેમનુ એમઆરઆઈ સ્કૈન થયો. આ સલામી બેટ્સમેનને આગામી વનડે અને ટેસ્ટ શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યા છે અને તેમને સારવાર માટે રાષ્ટ્રીય ક્રિકેટ અદાદઈ રેફર કરવામાં આવશે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં સતત 144ની કલમનો અમલ કરવો મતલબ અહીં રહેવું સુરક્ષિત નથીઃ હાઈકોર્ટ