Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેચ લેવાના ચક્કરમાં કલકત્તાના ક્રિકેટરે જીવ ગુમાવ્યો

કેચ લેવાના ચક્કરમાં કલકત્તાના ક્રિકેટરે જીવ ગુમાવ્યો
, સોમવાર, 20 એપ્રિલ 2015 (15:10 IST)
રમત દરમિયાન એક ક્રિકેટરના મોતના દુ:ખદ સમાચાર છે. ઈસ્ટ બંગાલ ક્લબના ક્રિકેટર અંકિત કેસરીને શુક્રવારે ક્રિકેટ રમવા દરમિયાન મેદાનમાં વાગ્યુ હતુ. સોમવારે સવારે અંકિત કેસરીનુ મોત થઈ ગયુ. 
 
સીએબી સીનિયર નૉકઆઉટ ટૂર્નામેંટમાં ભવાનીપુર ક્લબના વિરુદ્ધ મેચમાં રમતા અંકિત કેસરીને ગંભીર રૂપે વાગ્યુ હતુ. અંકિત કેચ લેવાની કોશિશમાં પોતાની જ ટીમના ખેલાડી સૌરવ મંડલ સાથે અથડાયા હતા. ત્રણ દિવસથી હોસ્પિટલમાં અંકિતની સારવાર ચાલી રહી હતી. અંકિત કોલકાતાના સિટી હોસ્પિટલમાં દાખલ હતા. 
 
આ પહેલા ઓસ્ટ્રેલિયાના 25 વર્ષીય હ્યૂઝની સિડની ક્રિકેટ ગ્રાઉંડ પર દક્ષિણ ઓસ્ટ્રેલિયા-ન્યૂ સાઉથ વેલ્સ મેચ દરમિયાન સીન એબટની બાઉંસર માથામાં વાગવાથી મોત થઈ ગયુ હતુ.  

Share this Story:

Follow Webdunia gujarati