Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Coronavirus Update- ભારતની પ્રથમ કોરોના દર્દીને ફરીથી થયુ સંક્રમણ દોઢ વર્ષ પછી આવી રિપોર્ટ આવી પૉઝીટીવ

Coronavirus Update- ભારતની પ્રથમ કોરોના દર્દીને ફરીથી થયુ સંક્રમણ દોઢ વર્ષ પછી આવી રિપોર્ટ આવી પૉઝીટીવ
, મંગળવાર, 13 જુલાઈ 2021 (17:10 IST)
દેશનો પ્રથમ કોરોના સંક્રમણનો કેસ એક મેડિકલ છાત્રાનો હતું. મેડિકલ વિદ્યાર્થી ગયા વર્ષે જાન્યુઆરી મહીનામાં ચીનના વુહાનથી તેમના ગૃહનગર કેરળના ત્રિશૂર આવી હતી. સ્વાસ્થય વુભાગના અધિકારીઓએ 
મંગળવારએ જણાવ્યુ કે તે વિદ્યાર્થી દોઢ વર્ષ પછી ફરી કોરોનાથી સંક્રમિત થઈ ગઈ છે. ત્રિશૂરની ડીએમઓ ડાક્ટર કે જે રીનાએ પીટીઆઈએ જણાવ્યુ કે તે વિદ્યાર્ ફરી કોરોના પૉઝ્ટિટિવ થઈ ગઈ છે. તેની આરટીપીસીઆર રિપોર્ટ પૉઝિટિવ અને એંટીજનની રિપોર્ટ નેગેટિવ આવી છે.  પણ ચિંતાની વાત નથી કારણકે ઓછા લક્ષણવાળુ સંક્રમણ છે. 
 
સ્વાસ્થય વિભાગના અધિકારીઓએ કહ્યુ કે તે વિદ્યાર્થી દિલ્હી પ્રવાસ કરવા ઈચ્છતી હતી તેથી તેનો કોરોના ટેસ્ટ કરાવ્યું. તેની રિપોર્ટને જોઈ બધા ચોંકી ગયા ડાક્ટરએ કહ્યુ - તે આ સમયે ઘરે છે અને પૂર્ણ રીતે સ્વસ્થ છે. 
 
જણાવીએ કે 30 જાન્યુઆરી 2020ને વુહાન યુનિવર્સિટીના ત્રીજા વર્ષની મેડિકલ વિદ્યાર્થી કોરોના વાયરસની રિપોર્ટ પૉઝિટિવ આવી હતી. જે પછી દેશની પ્રથમ કોરોના દર્દી બની ગઈ. તે સેમેસ્ટરની રજાઓ પછી ઘરે પરત આવી હતી. ત્રિશૂર મેડિકલ કૉલેજમાં આશરે ત્રણ અઠવાડિયે સુધી તેની સારવાર ચલાવી અને બે વાર કોરોનાની રિપોર્ટ નેગેટિવ આવતા 20 ફેબ્રુઆરીને તેને હોસ્પીટલથી રજા અપાઈ.  
 
દેશમાં 24 કલાકમાં કોરોનાના 31443 નવા કેસ 
દેશમાં કોરોના વાયરસ મહામારીની તીવ્રતા હવે સુસ્ત પડી ગઈ છે. ગયા 24 કલાકમાં સંક્રમણના 31443 નવા કેસ સામે આવ્યા છે. 118 દિવસિમાં સંક્રમણનો આ સૌથી ઓછું આંકડો છે. જ્યારે કોરોના દર્દીઓની ઠીક થવાની દર પણ સતત વધી રહી છે. દેશમાં રિકવરી રેટ 97.28 ટકા પહોંચી ગયુ છે. ભારતમાં અત્યાર સુધી  3,09,07,282 કેસ સામે આવી ગયા છે. સાથે જ કુળ સક્રિય કેસ 4,31,315 છે જે 109 દિવસોનો સૌથી ન્યુનતમ આંકડો છે. પણ ગયા 24 કલાકમાં 2020 દર્દીઓની મોત પણ થઈ છે અને કુળ મોતોનો આંકડો  4,10,784 થઈ ગયું છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Covid-19 Vaccine: સીરમ ઈસ્ટીટ્યુટમાં પણ શરૂ થશે સ્પૂતનિક V નુ ઉત્પાદન, દર વર્ષે 30 કરોડ ડોઝ બનાવવાનુ લક્ષ્ય