Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

LIVE: દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 11 લોકોના મોત, દર્દીઓની સંખ્યા 600 ને પાર

LIVE: દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 11 લોકોના મોત, દર્દીઓની સંખ્યા 600 ને પાર
, બુધવાર, 25 માર્ચ 2020 (18:33 IST)
દેશભરમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં 603 કંફર્મ કેસ મળી આવ્યા છે. આમાં 11 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 46 લોકો સાજા થયા છે. મહારાષ્ટ્ર અને કેરલ કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. મહારાષ્ટ્રમાં 112 અને કેરલમાં 105 કેસ નોંધાયા છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. આ લોકડાઉન આજથી લાગુ કરવામાં આવ્યું છે અને 14 એપ્રિલ સુધી ચાલશે. કચેરીઓ, બજારો, જાહેર પરિવહન બધુ બંધ છે. વડા પ્રધાને સ્પષ્ટ કહ્યું છે કે આ દેશમાં કોઈ પણ આ 21 દિવસ સુધી તેમના ઘરની બહાર નીકળશે નહીં. આ સમયગાળા દરમિયાન ફક્ત જીવન બચાવ સેવાઓ ચાલુ રહેશે.
 
કોરોના વાયરસના દર્દીઓ 600 ને પાર
 
કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો રહે છે. આ આંકડો 600 ને વટાવી ગયો છે. દેશમાં કોરોના વાયરસના 603 પુષ્ટિ થયા છે.
 
બિહારના બીજા એક કેન્દ્રમાં ટેસ્ટ શરૂ
 
પટનાના IGIMSમાં કોરોના વાયરસ પરીક્ષણની શરૂઆત થઈ છે. બિહારનું આ બીજું કેન્દ્ર છે, જ્યાં કોરોના પરીક્ષણની શરૂઆત થઈ છે. અગાઉ આ સુવિધા ફક્ત મેડિકલ સાયન્સના રાજેન્દ્ર મેમોરિયલ રિસર્ચ એટલે કે RMRIમાં જ ઉપલબ્ધ હતી. બિહાર સરકારના મુખ્ય સચિવ સંજય કુમારે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ સુવિધા પટનાના PMCH અને દરભંગાના DMCHમાં ઉપલબ્ધ થશે.
 
તમિલનાડુમાં કોરોના વાયરસના ત્રણ વધુ કેસ  
 
તમિલનાડુમાં કોરોના વાયરસના ત્રણ વધુ કેસ નોંધાયા છે, ત્યારબાદ અહીં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 23 થઈ ગઈ છે. સાથે જ, દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 591 થઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona Virus LockDown- તેલાંગાનામાં Shoot At Sight આદેશનો સત્ય જાણો LockDown- તેલાંગાનામાં Shoot At Sight આદેશનો સત્ય જાણો