Publish Date: Sun, 04 Oct 2020 (11:50 IST)
Updated Date: Sun, 04 Oct 2020 (11:48 IST)
દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. દરમિયાન, છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ના નવા 75,829 કેસ નોંધાયા છે. તે જ સમયે વાયરસને કારણે 940 લોકોનાં મોત નીપજ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ માહિતી આપી છે.
દેશમાં કોરોના કેસની કુલ સંખ્યા 65 લાખથી વધુ પહોંચી ગઈ છે. દેશમાં હાલમાં 65,49,374 કેસ છે. આમાં સક્રિય કેસની સંખ્યા 9,37,625 છે જ્યારે 55,09,967 દર્દીઓ સાજા થયા છે અથવા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અથવા તેઓ દેશ છોડી ગયા છે. આ સિવાય વાયરસને કારણે કુલ 1,01,782 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
બીજી તરફ 3 ઓક્ટોબર સુધીમાં કુલ 7,89,92,534 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી 11,42,131 નમૂનાઓનું શનિવારે પરીક્ષણ કરાયું હતું. ભારતીય તબીબી સંશોધન પરિષદે આ માહિતી આપી છે.