Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હોસ્પીટલે દાખલ થયા વિના અમદાવાદમાં 4789 લોકોએ કોરોનાને મ્હાત આપી

હોસ્પીટલે દાખલ થયા વિના અમદાવાદમાં 4789 લોકોએ કોરોનાને મ્હાત આપી
, બુધવાર, 1 જુલાઈ 2020 (18:15 IST)
અમદાવાદમાં કોરોનાએ કહેર મચાવ્યો છે.પરંતુ અમદાવાદમાં કુલ 4789 લોકોએ હોસ્પીટલે દાખલા થયા વિના ઘરે બેસીને કોરોનાને હરાવ્યો છે. કોરોના મામલે અમદાવાદમાં ચિંતાજનક સ્થિતિ છે. ત્યારે રાહતના સમાચાર એ પણ છે કે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 4789 લોકો ઘેર બેઠા જ કોરોનાથી મુકત થયા છે. ગઈકાલે જ અમદાવાદ શહેરમાં 120 લોકોએ કોરોનાને મહાત આપી હતી.જેમાંથી 40 જેટલા લોકોએ દવાખાને-હોસ્પીટલ ગયા વગર ઘેર રહીને જ કોરોનાને હરાવ્યો છે. આમ અત્યાર સુધીમાં 4789 લોકો ઘેર રહીને જ કોરોના મુકત થયા છે. આ સિવાય ગઈકાલે એસવીપીમાંથી 1, અમદાવાદ સિવીલમાંથી 13, સોલા સિવીલમાંથી 9, કિડની હોસ્પીટલમાંથી 1 મળી કુલ 24 લોકો અને ખાનગી હોસ્પીટલમાંથી 56 લોકો કોરોનાથી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં 15,628 લોકોએ કોરોનાને પરાજીત કર્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યની તમામ યુનિવર્સિટીની અંતિમ વર્ષની પરીક્ષા લેવાશે, શિક્ષણ મંત્રીની જાહેરાત