Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CM ભૂપેન્દ્ર પટેલ - જેમણે ભાજપે ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવીને સૌને ચોકાવ્યા

Gujarat Election 2022

CM ભૂપેન્દ્ર પટેલ - જેમણે ભાજપે ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવીને સૌને ચોકાવ્યા
, સોમવાર, 18 એપ્રિલ 2022 (13:45 IST)
ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 17 મા નવા મુખ્યમંત્રી તરીકે 13 સપ્ટેમ્બરના રોજ સત્તા સંભાળે હતી. ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય દળના નવા નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેઓ વિજય રૂપાણીની જગ્યા લીધી છે. રૂપાણીએ તેમના નામની દરખાસ્ત કરી હતી, જેને મંજૂર કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલ ભાજપના વરિષ્ઠ નેતા છે. તેઓ ઘાટલોડિયાના ધારાસભ્ય છે. તેઓ 2017માં ગુજરાતમાં સૌથી વધુ મત મેળવનાર ધારાસભ્ય છે. તેઓ 1 લાખ 17 હજાર મતોથી જીત્યા હતા. તેઓ ખૂબ જ મૈત્રીપૂર્ણ નેતા હોવાનું કહેવાય છે. જોકે તે કોઈ હાઈપ્રોફાઈલ નેતા નથી. 59 વર્ષીય પટેલે રાજ્યની ઘાટલોડિયા બેઠક પરથી 2017ની વિધાનસભા ચૂંટણી જીતી હતી. તેમણે કોંગ્રેસના શશિકાંત પટેલને હરાવ્યા હતા.
 
ભૂપેન્દ્ર પટેલ ભૂતકાળમાં અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના ચેરમેન રહી ચુક્યા છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પણ છે. તેણે સરકારી પોલિટેકનિક અમદાવાદમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. તેમના 2017ના ચૂંટણી પેપરમાં તેમણે 5 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી હતી. તે પટેલ અથવા પાટીદાર સમુદાયનો છે, જેને ભાજપ આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા સંતોષવા માંગે છે.
 
ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સંસ્થા સરદારધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. તેમણે 1999-2000માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે, 2008-10માં AMCના સ્કૂલ બોર્ડના વાઇસ-ચેરમેન તરીકે અને 2010-15માં થલતેજ વોર્ડના કાઉન્સિલર તરીકે સેવા આપી હતી. તેઓ ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન પટેલના નજીકના ગણાય છે, જે ઘાટલોડિયાના ધારાસભ્ય પણ હતા.
 
પટેલ મ્યુનિસિપલ કક્ષાના નેતાથી રાજ્યના રાજકારણમાં ટોચના હોદ્દા પર પહોંચેલા મૃદુભાષી કાર્યકર તરીકે જાણીતા છે. તેઓ તેમના સમર્થકોમાં દાદાના નામથી જાણીતા છે. ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. 
 
ગુજરાતમાં લગભગ 20% પાટીદાર મતદારો છે. રાજ્યમાં 50થી વધુ બેઠકો એવી છે કે જેના પર પાટીદાર મતદારો ગમે તે પક્ષના ઉમેદવારને જીતાડી શકે છે. ભાજપ નિશ્ચિતપણે ભૂપેન્દ્ર પટેલને આગળ કરીને પાટીદારોમાં પોતાનું વર્ચસ્વ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હાલમાં તેઓ રૂપાણી સરકારમાં મંત્રી ન હતા અને હવે સીધા મુખ્યમંત્રી બની ગયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

RBI Recruitment 2022 : RBIની 394 જગ્યા માટે ફોર્મ ભરવાની