Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chaitra Navratri 2021: ચૈત્ર નવરાત્રિમાં તમારી રાશિ મુજબ કરો મા દુર્ગાની આરાધના..

Chaitra Navratri 2021: ચૈત્ર નવરાત્રિમાં તમારી રાશિ મુજબ કરો મા દુર્ગાની આરાધના..
, મંગળવાર, 13 એપ્રિલ 2021 (07:01 IST)
ચૈત્ર નવરાત્રીનુ વ્રત 13 એપ્રિલ એટલે કે આજથી શરૂ થઈ રહ્યુ છે  22 એપ્રિલે વ્રતના પારણ સાથે ચૈત્ર નવરાત્રીનુ સમાપન થશે. શક્તિની ઉપાસનાના  આ પાવન પર્વમાં માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે. માતાના ભક્તો નવ દિવસ સુધી વ્રત રાખે છે. જ્યોતિષ મુજબ ચૈત્ર નવરાત્રિ પર રાશિ મુજબ મા દુર્ગાને પુષ્પ અર્પિત કરીને જાતકોને માતા રાણીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તમે પણ તમારી રાશિ મુજબ માતા રાણીને પુષ્પ અર્પિત કરી શકો છો. 
 
મેષ - ચૈત્ર નવરાત્રીમાં જાસૂદ, ગુલાબ, લાલ કનેર, કમળ અથવા કોઈપણ પ્રકારના લાલ ફૂલથી પૂજા કરવાથી મા ભગવતી પ્રસન્ન થશે.
 
વૃષભ - ચૈત્ર નવરાત્રીમાં, મા દુર્ગાને સફેદ કમળ, ગુલેર, સફેદ કરેણ, સદાબહાર, બેલા, પારિજાત વગેરે જેવા સફેદ ફૂલો ચઢાવો
મિથુન - ચૈત્ર નવરાત્રીમાં પીળા કરેણ, ગુલેર, દ્રોણપુષ્પી, મેરીગોલ્ડ અને કેવડાના ફૂલોથી માતાની પૂજા કરો.
કર્ક રાશિ  - સફેદ કમળ, સફેદ કનેર, મેરીગોલ્ડ, જાસૂદ, સદાબહાર, જાસ્મિન રાતરાણી જેવા પ્રકારના સફેદ અને ગુલાબી ફૂલો દ્વારા માતાની ઉપાસના કરીને અને માતાને ખુશ કરીને ચંદ્રદોષથી મુક્ત થઈ શકો છો. 
સિંહ રાશિ - ચૈત્ર નવરાત્રિમાં કમળ, ગુલાબ,  કરેણ, જાસૂદથી માતાની પૂજા કરવાથી આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે, જાસૂદનું ફૂલ સૂર્ય અને માતા દુર્ગાને ખૂબ જ પ્રિય છે.
કન્યા રાશિ - આ નવરાત્રીમાં તમે જાસૂદ, ગુલાબ, મેરીગોલ્ડ, પારિજાત અને કોઈપણ પ્રકારના સુગંધિત ફૂલોથી દેવી દુર્ગાની પૂજા કરીને દેવી રાણીના આશીર્વાદ મેળવી શકો છો.
તુલા રાશિ - 
તમે ચૈત્ર નવરાત્રીમાં સફેદ કમળ, સફેદ કનેર, મેરીગોલ્ડ,જાસૂદ, જુહી, પારિજાત, સદાબહાર, કેવડા, બેલા જાસ્મિન જેવા ફુલોના અર્ધ્યથી ભગવાન ભગવતીની પૂજા કરીને માતાના આશીર્વાદ મેળવી શકો છો.
વૃશ્ચિક રાશિ - આ નવરાત્રીમાં કોઈપણ પ્રકારના લાલ ફૂલ, પીળા ફૂલ અને ગુલાબી ફૂલ દ્વારા માતાની પૂજા કરવાથી વ્યક્તિને માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે.
ધનુરાશિ - ચૈત્ર નવરાત્રીમાં તમે કમળના ફૂલ, કરેણ, જાસૂદ, ગુલાબ, મેરીગોલ્ડ, કેવડાથી માતાની પૂજા કરીને માતાના આશીર્વાદ મેળવી શકો છો.
 
 
મકર રાશિ - ચૈત્ર નવરાત્રીમાં વાદળી ફૂલો, કમળ, મેરીગોલ્ડ, ગુલાબ, જાસૂદ વગેરેથી માતા શક્તિની પૂજા-આરાધના કરીને માતાના આશીર્વાદ મેળવી શકો છો.
 
 
કુંભ રાશિ - આ નવરાત્રિના વાદળી ફૂલો, મેરીગોલ્ડ, તમામ પ્રકારના કમળ, જાસૂદ, બેલા, ચમેલી, રાતરાણી વગેરે સાથે માતા ભગવતીની પૂજા કરીને માતા દુર્ગાના આશીર્વાદ મેળવી શકો છે.
મીન રાશિ - આ નવરાત્રી પર માતા રાણીને પીળા કરેણના ફુલ, કમળ, મેરીગોલ્ડ, ગુલાબ, જાસૂદના ફુલ ચઢાવો. આવુ કરવાથી તમારી તમામ ઇચ્છા  પૂર્ણ થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chaitra Navratri 2021 - કળશ સ્થાપના શુભ મુહૂર્ત અને પૂજા વિધિ