Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શિક્ષા ક્ષેત્રનાં બજેટમાં 9 ગણો વધારો

શિક્ષા ક્ષેત્રનાં બજેટમાં 9 ગણો વધારો

વેબ દુનિયા

નવી દિલ્હી , સોમવાર, 16 ફેબ્રુઆરી 2009 (16:15 IST)
PIB

નાણા મંત્રી પ્રણવ મુખર્જીએ માધ્યમિક સ્તર સુધી દરેકને શિક્ષા આપવા માટે વર્ષ 2008-09માં નવી યોજના જાહેર કરી છે. 11મી પંચવર્ષીય યોજનામાં ઉચ્ચતર શિક્ષા સંબંધિત બજેટમાં 9 ગણો વધારો કરવામાં આવ્યો છે. તેમજ 15 નવી કેન્દ્રીય વિશ્વવિદ્યાલય શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. બિહાર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ઓરીસ્સા, પંજાબ અને ગુજરાતમાં 6 નવી આઈઆઈટી શરૂ થઈ ગઈ છે. તો મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ આઈઆઈટી વર્ષ 2009-10માં શરૂ થાય તેવી સંભાવના છે.

તો ભારતીય વિજ્ઞાન શિક્ષા અને અનુસંધાન સંસ્થાન -આઈઆઈએસઈઆરમાં શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. તો ભોપાલ અને વિજયવાડા ખાતે વાસ્તુકલાનાં બે વિદ્યાલયોએ પોતાનું કાર્ય શરૂ કરી દીધું છે. તો 11 પંચવર્ષીય યોજનામાં 6 નવા આઈઆઈએમ શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જે હરિયાણા, રાજસ્થાન,ઝારખંડ અને તામિલનાડુમાં શરૂ કરવામાં આવશે.

તો શિક્ષા ક્ષેત્રે સરકાર દ્વારા 14.09 લાખ વિદ્યાર્થીઓને રૂ.24,206 કરોડની લોન આપી છે. તો દેશમાં 500 આઈઆઈટીને અપગ્રેડ કરવામાં આવી છે. જેના માટે રૂ.1000 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati