વારાણસી. બોલીવુડમાં જે ફિલ્મની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે ફિલ્મ 'જોધા અકબર'માં જોધાની ભૂમિકા નિભાવતી એશ્વર્યા રાય બચ્ચનનું બનારસી સાડીથી સજાયેલુ રાજશાહી રૂપ વારાણસીના હથાકરધા ઉદ્યોગને માટે આશાની કિરણ બનીને સામે આવ્યુ છે.
એશ્વર્યા અને અભિષેક બચ્ચનના વિવાહ દરમિયાન એશ્વર્યા દ્રારા બનારસની પરંપરાગત બનારસી સાડીઓની ખરીદીએ જ્યાં એક વાર ફરીથી બનારસી સાડીઓને ફેશન જગતમાં પોતાનુ સ્થાન બનાવવાની પહેલ કરી છે, ત્યા આ ફિલ્મમાં મોટા પાયા પર આના ખરીદીની આશા રાખી શકાય છે.
બનારસી સાડીના વિક્રેતા અબુ સાહેના મુજબ 'જોધા અકબર' એક મોટા બજેટની ફિલ્મ છે અને જે રીતે મોટા પાયા પર આ ફિલ્મમાં બનારસના હૈંડલૂમનો ઉપયોગ જોયો છે, અમને આશા છે કે આનાથી બનારસી હૈંડલૂમની લોકપ્રિયતા વધશે.
આ ફિલ્મમા જોધા બનેલી એશ્વર્યાની બનારસી સાડીઓના સિવાય અકબર બનેલા અભિનેતા રિતિક રોશન દ્વારા પહેરાયેલી બનારસની પારંપારિક શેરવાનીઓ પણ ખૂબ પ્રચલિત થઈ રહી છે.