Publish Date: Wed, 07 Feb 2024 (11:04 IST)
Updated Date: Wed, 07 Feb 2024 (11:18 IST)
- સુષ્મિતા પોતાની પ્રોફેશનલ લાઈફ સાથે પર્સનલ અને લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે
- રોહમન શૉલ અને સુષ્મિતા એક સાથે થઈ ગયા છે
- ફેંસ આશા કરી રહ્યા છે કે બંને લગ્ન કરી શકે છે
સુષ્મિતા સેન વર્તમાન દિવસોમાં પોતાની આવનારી વેબ સીરીઝ આર્યા અંતિમ બાર ને લઈને ચર્ચામાં છે. તે જલ્દી જ આર્યા એકવાર ફરી પડદા પર હલચલ મચાવશે. સુષ્મિતા બોલીવુડની એ અભિનેત્રીઓમાંથી એક છે જે પોતાની પ્રોફેશનલ લાઈફ સાથે પર્સનલ અને લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. રોહમન શૉલ થી બ્રેકઅપ પછી તેનુ નામ લલિત મોદીની સાથે તેમનુ નામ જોડાયુ. જો કે હવે એકવાર ફરી રોહમન શૉલ અને સુષ્મિતા એક સાથે થઈ ગયા છે. બંનેને ફરી સાથે જોયા બાદ ફેંસ આશા કરી રહ્યા છે કે બંને લગ્ન કરી શકે છે. આ મામલે અભિનેત્રીએ મૌન તોડ્યુ છે.
સુષ્મિતા સેન શુ લગ્ન કરવાના છે ? શુ રોહમ શૉલ સાથે તે ઘર વસાવવા તૈયાર છે ? આ સવાલોના જવાબ તાજેતરમાં જ અભિનેત્રી આપ્યો અને જણાવ્યુ કે તેમની શુ પ્લાનિંગ છે. ચાલો તમને બતાવી છે...
સુષ્મિતા હાલ આર્યા 3 એટલે કે 'આર્યા અંતિમ વાર' ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેમણે પ્રમોશન દરમિયાન એક ઈંટરવ્યુમાં વાતચીત કરી. ફિલ્મ કંપેનિયનને આપેલ ઈંટરવ્યુમાં તેમણે આ સવાલનો જવાબ આપ્યો. તેમને કહ્યુ મને ખબર છે આખી દુનિયા ઈચ્છે છે કે હુ આ વિશે વિચારુ. આ સ્ટેજ પર આવીને મારે સેટલ થવુ જોઈએ. પણ હુ તેના પર ધ્યાન નથી આપવા માંગતી. હુ આ વિશે બતાવવુ જરૂરી સમજુ છુ કે લગ્ન પર વિશ્વાસ કરુ છુ અને તેનુ સન્માન પણ કરુ છુ.
તેમણે વધુમાં કહ્યું કે હું મારા 'આર્ય' દિગ્દર્શક રામ માધવાણી અને મારા નિર્માતા અમિતા માધવાણી સહિત કેટલાક અવિશ્વસનીય લોકોને જાણવાનું નસીબદાર છું, જેઓ હું જાણું છું તે સૌથી સુંદર યુગલોમાંના એક છે. સુષ્મિતાએ આગળ કહ્યું- પણ હું મિત્રતા અને મિત્રતામાં વધુ માનું છું. જો આ વસ્તુઓ હશે તો લગ્ન થઈ શકે છે. પરંતુ તે આદર અને મિત્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સ્વતંત્રતા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું મારી સ્વતંત્રતા પર વધુ ધ્યાન આપું છું.