Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આમિરને વધુ એક ઝટકો, અતુલ્ય ભારત પછી હવે સ્નેપડીલ પણ કોન્ટ્રાક્ટ રિન્યુ નહી કરે

આમિરને વધુ એક ઝટકો, અતુલ્ય ભારત પછી હવે સ્નેપડીલ પણ કોન્ટ્રાક્ટ રિન્યુ નહી કરે
, શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2016 (10:30 IST)
સ્નેપડીલ પોતાના બ્રાન્‍ડ એમ્‍બ્રેસેડર તરીકે હવે બોલીવુડના સ્ટાર આમીર ખાન સાથેનો કોન્‍ટ્રાકટ રીન્‍યુ નહી કરે. આ કોન્‍ટ્રાકટ આ મહિને જ સમાપ્‍ત થઇ રહ્યો છે. શરત અનુસાર આ કોન્ટ્રાક્ટ એક વર્ષ વધારી શકાયો હોત પરંતુ કંપનીએ આ કોન્ટ્રાક્ટસમાપ્‍ત કરવાનો નિર્ણય લીધો છે.
 
   સુત્રો કહે છે કે, વિજ્ઞાપન ખર્ચ ઉપર કાબુ મેળવવા માટે કંપની આમીરની જગ્‍યાએ બીજા કોઇપણને પણ બ્રાન્ડ એમ્બેસેડર ન બનાવે તેવી શકયતા છે. આમીર સાથે અસહિષ્‍ણુતાનો મામલો જોડાયો છે. વિવાદ બાદ સ્નેપડીલને પણ સહન કરવુ પડયુ હતુ. આમીરને આ બીજો ઝટકો લાગ્‍યો છે. ગયા મહિને પ્રવાસન મંત્રાલયે અતુલ્‍ય ભારત અભિયાનના  બ્રાન્ડ એમ્બેસેડરની જવાબદારીમાંથી મુકત કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati