Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શાહરૂખ ખાને માફી માંગી

શાહરૂખ ખાને માફી માંગી
નવી દિલ્હી. , બુધવાર, 16 ડિસેમ્બર 2015 (18:06 IST)
એક ખાનગી ટીવીના વિશેષ કાર્યક્રમ પ્રેસ કોન્ફ્રેંસમાં બોલીવુડના કિંગ ખાન શાહરૂખે પોતાના અસહનશીલતાવાળા નિવેદન પર માફી માંગી છે. 
 
એક વિશેષ કાર્યક્રમ પ્રેસ કૉન્ફ્રેંસમાં શાહરૂખ ખાને કહ્યુ કે મારી સાથે કોઈએ ઈનટોરલેંટ નથી કર્યુ. હુ ક્યારેય આવુ કશુ નથી બોલ્યો.  કેટલાક લોકો કહેશે કે મારી ફિલ્મ આવી રહી છે તેથી હુ આવુ કહી રહ્યો છુ પણ આવુ કશુ નથી. ભારતમાં બધુ ઠીક છે. દેશમાં ક્યાય પણ અસહનશીલતા નથી. મે આવુ ક્યારેય કહ્યુ નથી. જો કોઈને ઠેસ પહોંચી હોય તો હુ માફી માંગુ છુ.
 
તેમને કહ્યુ કે મારી સાથે ક્યારેય અસહિષ્ણુતા થઈ નથી. હુ દેશભક્ત છુ અને ખૂબ ખુશ છુ. ઉલ્લેખનીય છેકે શાહરૂખની ચર્ચિત ફિલ્મ 'દિલવાલે' 18 ડિસેમ્બરના રોજ રજુ થઈ રહી છે. શાહરૂખના આ નિવેદનને પણ ફિલ્મની રજૂઆત સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે.  જો કે તેમણે કહ્યુ કે તેમના આ નિવેદનનુ ફિલ્મની રજૂઆત સાથે કોઈ લેવા દેવા નથી. 

Share this Story:

Follow Webdunia gujarati