Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"મહાભારત"ના કર્ણનુ નિધન, 68 વર્ષની વયે કેન્સરની બીમારીએ લીધો જીવ

Pankaj Dheer
, બુધવાર, 15 ઑક્ટોબર 2025 (13:54 IST)
ટેલિવિઝનની સૌથી લોકપ્રિય ટેલિવિઝન શ્રેણી "મહાભારત" માં કર્ણની યાદગાર ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતો બનેલો અભિનેતા પંકજ ધીરનું અવસાન થયું છે. તેમના સહ-કલાકાર અને "મહાભારત" માં અર્જુન તરીકે કામ કરતા ફિરોઝ ખાને ઇન્સ્ટાગ્રામ પર આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે. પંકજના અવસાનથી બધાને આઘાત લાગ્યો છે. અભિનેતાનું અવસાન ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે.
 
સૂત્રોના જણાવ્યા અનુસાર, પંકજને કેન્સર હતું અને તે આ જંગ જીતી ગયા હતા. જોકે, છેલ્લા કેટલાક મહિનામાં કેન્સરે પાછો ઊથલો માર્યો હતો. એક્ટરની હાલત ખૂબ જ નાજુક હતી. આ બીમારીને કારણે એક ક્રિટિકલ સર્જરી પણ થઈ હતી, પરંતુ પંકજને બચાવી શક્યા નહીં.
 
તેમનું ક્યારે થયું અવસાન  ?
પંકજ ધીરનું અવસાન બુધવાર, 15  ઓક્ટોબરના રોજ સવારે 11:30  વાગ્યે થયું. અભિનેતા લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. આ લાંબી લડાઈ દરમિયાન તેઓ આ જંગ હારી ગયા. આ સમાચારે સમગ્ર ઉદ્યોગ અને તેમના ચાહકોને શોકમાં ડૂબાડી દીધા છે. તેમના પુત્ર નિકિતન ધીર દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ આ સમાચાર તેમના પરિવાર માટે ખૂબ જ દુઃખદ છે. ઇન્ડિયા ટુડેમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, પંકજને કેન્સર હતું. જોકે, થોડા મહિના પહેલા તે ફરી ઉભરી આવ્યું હતું અને તેમની તબિયત ઘણી બગડી હતી. તેમની મોટી સર્જરી પણ કરાવવી પડી હતી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - કેટલી રાત?