Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવાજુદ્દીન સિદ્દીકીના પિતાનું અવસાન

નવાજુદ્દીન સિદ્દીકીના પિતાનું અવસાન
, મંગળવાર, 21 જુલાઈ 2015 (14:18 IST)
પોતાના શાનદાર અભિનયથી બોલીવુડમાં ખાસ ઓળખ બનાવનારા અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકીના પિતા નવાબુદ્દીન સિદ્દીકીનું સોમવારે નિધન થઈ ગયુ. ઈંડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ અભિનેતાના પિતાનુ મોત બ્રેન હૈમરેજને કારણે થયુ છે. નવાજુદ્દીન સિદ્દીકી પોતાની ફિલ્મમાં વ્યસ્ત હોવાને કારણે અંતિમ સમયે પોતાના પિતા પાસે ન રહી શક્યા. 
 
તાજેતરમાં જ રજુ થયેલ ફિલ્મ બજરંગી ભાઈજાનમાં પાકિસ્તાની પત્રકારનો રોલ કરનારા નવાજુદ્દીન સિદ્દીકાના પિતા નવાબુદ્દીનને સોમવારે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં તારાવતી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. નવાજુદ્દીન સિદ્દીકીનો પરિવાર ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગર જીલ્લાના બુઢાના વિસ્તારમાં રહે છે. 
 
નવાજના પિતા લાંબા સમયથી બીમારીનો સામનો કરી રહ્યા હતા. તેમણે દિલ્હી અને મુંબઈની અનેક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ  તેમની તબિયત સુધરી શકી નહી. સોમવારે ઘરમાં જ તેમની તબિયત વધારે બગડતા તેમને સહારનપુરના તારાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યા તેમનુ મોત થઈ ગયુ. મુજફ્ફરનગરના બુઢાના કસ્બામાં જ તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.  

Share this Story:

Follow Webdunia gujarati