અભિનેત્રી અનુષ્કા શર્મા પૂરા જોશ સાથે દિવાળી ઉજવવા માટે ફેસને આગ્રહ કરતા કહ્યું કે પક્ષીઓ અને જાનવરોનો પણ ખ્યાલ રાખો કારણકે એ ખૂબ જ સંવેદનશીલ હોય છે.
પોતાના ટિવટર અકાઉંટ પર અનુષ્કાએ કહ્યું "આ સમયે છુપાયેલા તમારા મિત્રોને બહાર કાઢો અને દિવાળી ઉત્સવમાં શામેલ કરો."
અનુષ્કાએ કહ્યું કે માણસ ચોક્કસ રૂપે પોતાની સમસ્યાઓ વિશે બોલી શકે છે,. પણ પશુ બોલી શકતા નથી. આથી દિવાળી પર થોડા સંવેદનશીલ રહેવુ અને સાદગીથી દિવાળી ઉજવવાની જરૂર છે.
અનુષ્કાએ એ પણ કહ્યું "હું બૂમ પાડી શકું છું અને આ અવાજથી કોઈ મારી મદદ પણ કરી શકે છે . દુર્ભાગ્યવશ પશુઓ પાસે અવાજ નથી, આથી તેઓ પોતાની તકલીફ કોઈને કહી પણ શકતા નથી. દિવાળી એમના માટે મુશ્કેલ સમય છે.
એણે કહ્યું "હું તમને વિનંતી કરું છું કે તમે ઘોંઘાટ અને પ્રદૂષણ મુક્ત દિવાળી ઉજવીને પશુઓ અને પક્ષીઓની મદદ કરી શકો છો. બધાને દિવાળીની શુભેચ્છા..