Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હું જ્યારે લગ્ન કરીશ ત્યારે કોઈને નહી બોલાવુ - સલમાન ખાન

હું જ્યારે લગ્ન કરીશ ત્યારે કોઈને નહી બોલાવુ - સલમાન ખાન
P.R
મીડિયા સહિત ઈન્ડસ્ટ્રીના લોકોને પણ સલમાન ખાનના લગ્ન માટે આતુરતા અને ઉત્સુકતા છે. એક તરફ જ્યારે સૈફ અને કરિના લગ્ન કરવા જઈ રહ્યા છે, ત્યારે કોઈએ સલમાન ખાનને પૂછ્યું હતું કે તે પોતાના લગ્નમાં (જ્યારે પણ કરશે ત્યારે) કોને કોને બોલાવશે. આ સવાલનો જવાબમાં સલમાન ખાને ધડાકો કર્યો હતો, - 'જ્યારે હું પરણીશ, ત્યારે હું કોઈને નહીં બોલાવું'.

હજી આ જવાબ સાંભળીને લોકો વિશ્વાસ કરી શકે તે પહેલા તો સલમાન ખાને બીજો ધડાકો કર્યો હતો. સલમાન ખાને સૈફ-કરિનાના લગ્ન થઈ રહ્યા છે કે નહીં તે વિશે નવી અટકળ પેદા કરી છે. 16મી ઓક્ટોબરો યોજાનારા સૈફિનાના લગ્ન વિશે વાત કરતા સલમાને કહ્યુ હતું કે, "મને હજી સુધી કોઈ આમંત્રણ મળ્યું નથી, માટે મને નથી લાગતું કે લગ્ન થઈ રહ્યા હોય."

તેણે આગળ ઉમેર્યું હતું કે, "લગ્ન અંગત પ્રસંગ છે. જ્યારે હું પરણીશ ત્યારે મને નથી લાગતું કે હું કોઈને બોલાવીશ."

શું આ નિવેદન કરીને સલમાન ખાન પોતાના લગ્નની ઉજવણીનો સંકેત આપવા માંગે છે કે પછી સૈફ-કરિનાના લગ્ન વિશે ચાલી રહેલી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકવાનો સંકેત આપી રહ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati