Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સેફ લગ્ન પછી નથી બદલાયા કે નહી બદલે - કરીના

સેફ લગ્ન પછી નથી બદલાયા કે નહી બદલે - કરીના
. અભિનેત્રી કરીના કપૂરે કહ્યુ છે કે સેફ અલી ખાનની સાથે લગ્ન પછી તેમની જીંદગીમાં કોઈ ફેરફાર નથી આવ્યો. ખાસ વાત એ છે કે છોટે નવાબ લગ્ન પછી પણ પહેલા જેવા જ છે. તેમને આશા બતાવી કે સેફ ભવિષ્યમાં પણ ક્યારેય નહી બદલાય.
P.R


પાંચ વર્ષ સુધી લિવ ઈન રિલેશનશિપમાં રહ્યા પછી ગયા વર્ષે ઓક્ટોબરમાં કરીનાએ સેફ સાથે લગ્ન કરી લીધુ હતુ. 32 વર્ષીય કરીનાએ કહ્યુ , 'અમે લગ્ન કરવાનો નિર્ણય એ માટે કર્યો જેથી અમારા સંબંધ મજબૂત બની શકે. અમારે માટે લગ્ન પછી કશુ જ બદલાયુ નથી.' તેણે કહ્યુ, મીડિયા અને લોકોની નજરમાં લગ્ન ખૂબ મોટી વસ્તુ છે, પરંતુ અસલ જીંદગીમા એવુ નથી. અમારા પર કોઈ રોકટોક નથી. અમને નવાઈ લાગે છે જ્યારે લોકો એવુ પુછે છે કે લગ્ન પછી શુ ફરક પડ્યો ? અમે આ વાત સમજી નથી શકતા કારણ કે અત્યાર સુધી કોઈ અંતર નથી આવ્યુ. હાલ સેફ અમેરિકામાં છે.

લગ્ન પાર્ટીઓમાં ડાંસ ન કરવાના પોતાના નિર્ણય વિશે કરીનાએ કહ્યુ, સેફ અને મારા પિતા રણધીર કપૂરને આ બધુ ગમતુ નથી અને મને તેની જરૂર પણ નથી. જીંદગીમાં પૈસો જ બધુ નથી હોતુ. અભિનેત્રીનુ કહ્વુ છે કે તે પોતાના કેરિયર અને વ્યક્તિગત જીવનમાં સંતુલન બનાવવા માંગે છે. હાલ તે ઈમરાન હાશમીની સાથે ફિલ્મ 'બદતમીજ દિલ'માં કામ કરી રહી છે. આ ઉપરાંત કરણ જોહરની ફિલ્મ 'શુદ્ધિ'માં ઋત્વિક રોશન સાથે જોવા મળશે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati